ટોપ ન્યૂઝવર્લ્ડ

VIDEO : ચીનમાં મોટી દુર્ઘટના, શોપિંગ મોલમાં આગ લાગતા 16 લોકોના મૃત્યુ, 30ને બચાવી લેવાયા

  • 14 માળની ઈમારતમાં ક્યાં કારણોસર આગ લાગી તે હજુ અકબંધ
  • મોલમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રેસ્ટોરાં અને મૂવી થિયેટર તેમજ ઘણી કંપનીઓની ઓફિસો આવેલી છે
  • ચીનમાં આગ લાગવાની ઘટનામાં 19 ટકાનો વધારો

બેઇજિંગ, 18 જુલાઈ : ચીનમાં ગઈકાલે બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોના મૃત્યુ થયા છે. ચીનના સરકારી મીડિયા અનુસાર સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં 14 માળની ઈમારતમાં આગ લાગી હતી. જેના કારણે અનેક લોકો બિલ્ડીંગની અંદર પણ ફસાઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે.

30 લોકોનું કરાયું રેસ્ક્યુ

સરકારી મીડિયા સીસીટીવી અનુસાર, આગની માહિતી મળતાની સાથે જ 300 ઈમરજન્સી કર્મચારીઓ અને ડઝનબંધ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ઈમરજન્સી વર્કર્સે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લગભગ 30 લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા. જો કે ક્યાં કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી સ્પષ્ટ જાણી શકાયું નથી.

આ પણ વાંચો : અમેરિકામાં ચૂંટણી વચ્ચે પ્રમુખ બાઇડનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

અકસ્માત પાછળનું કારણ જાણવા સૂચનાઓ મળી

ચીનના ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે એક નિવેદનમાં બચાવ કાર્યકર્તાઓ અને પ્રાંતીય અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે આગનું કારણ શોધવા માટે જણાવ્યું હતું. ચીનમાં આવા અકસ્માતો સામાન્ય બની ગયા છે. ભૂતકાળમાં ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, જેમાં ડઝનેક લોકોના મૃત્યુ થયા છે. ઇમારતો બાંધતી વખતે નિયમોનું પાલન ન કરવું એ આગનું મુખ્ય કારણ બને છે.

તાજેતરમાં લાગેલી આગની ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ ઉછળતી જોઈ શકાય છે. કાળો ધુમાડો પણ નીકળી રહ્યો છે. આગ ઓલવવા માટે અગ્નિશમન દળના જવાનોએ માત્ર પાઈપનો સહારો લીધો જ નહીં પરંતુ ડ્રોન દ્વારા આગ ઓલવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ઝિગોંગ શહેરમાં જ્યાં આગ લાગી હતી તે મોલમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રેસ્ટોરાં અને મૂવી થિયેટર તેમજ ઘણી કંપનીઓની ઓફિસો હતી.

આગના બનાવોમાં 19 ટકાનો વધારો

ચીનમાં આગની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. નેશનલ ફાયર એન્ડ રેસ્ક્યુ એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તા લી વાનફેંગના જણાવ્યા અનુસાર, આ વર્ષે 20 મે સુધી એકત્ર કરાયેલા ડેટા અનુસાર, દેશભરમાં આગની 947 ઘટનાઓ બની છે. જો ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણી કરીએ તો આગની ઘટનાઓમાં 19 ટકાનો વધારો થયો છે. લીએ કહ્યું કે હોટલ અને રેસ્ટોરન્ટ જેવા સાર્વજનિક સ્થળોએ આગ લાગવાની ઘટનાઓમાં 40%નો વધારો થયો છે. આનું સૌથી સામાન્ય કારણ વીજળી અથવા ગેસ લાઇનમાં ખામી અને બેદરકારી છે.

આ પણ વાંચો : ચૂંટણી અંગે જો બાઈડનના નિવેદને મચાવ્યો હંગામો, કહ્યું- કમલા હેરિસ બની શકે છે પ્રમુખ

Back to top button