દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને કોર્ટમાંથી મળ્યું સમન્સ, ઉદ્યોગપતિએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![Dharmendra](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/12/Dharmendra.jpg)
- અભિનેતાની રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઈઝી ‘ગરમ ધરમ ધાબા’ સાથે સંબંધિત કેસ
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: દિગ્ગજ બૉલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર તેમની રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઈઝી ‘ગરમ ધરમ ધાબા’ને લઈને કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તાજેતરમાં ‘ગરમ ધરમ ધાબા’ ફ્રેન્ચાઈઝી સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં પીઢ બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે વિરુદ્ધ સમન્સ જારી કર્યા છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યશદીપ ચહલે આ સમન્સ જારી કર્યું છે. દિલ્હીના બિઝનેસમેન સુશીલ કુમારે કોર્ટમાં ધર્મેન્દ્ર પર ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો.
Delhi Court issued summons to Bollywood actor Dharmendra and two others in a cheating case related to Garam Dharam Dhaba.
Summon is issued on a complaint filed by a Delhi businessman who alleged cheating by luring him to invest in the franchise of Garam Dharam Dhaba.
— ANI (@ANI) December 10, 2024
ધર્મેન્દ્રને કોર્ટમાંથી શા માટે સમન્સ મળ્યું?
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તાજેતરમાં ‘ગરમ ધરમ ધાબા’ ફ્રેન્ચાઇઝી સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં પીઢ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે સામે સમન્સ જારી કર્યા છે, જેની સુનાવણી ફેબ્રુઆરી 2025માં હાથ ધરવામાં આવશે. અહેવાલ અનુસાર, 5 ડિસેમ્બરના રોજ જારી કરાયેલા સમન્સ ઓર્ડરમાં, જજે કહ્યું કે, ‘રેકોર્ડ પરના પુરાવા સૂચવે છે કે આરોપીઓએ ફરિયાદીને તેમના સામાન્ય ઇરાદાને આગળ વધારવા અને છેતરપિંડીનો ગુનો કરવા માટે પ્રેરિત કર્યા છે.
અભિનેતા ધર્મેન્દ્ર પર છેતરપિંડીનો આરોપ
કોર્ટે આદેશ આપ્યો છે કે, પુરાવાના આધારે આરોપી વ્યક્તિઓ (ધરમ સિંહ દેઓલ) અને બાકીના બે વ્યક્તિઓને કલમ 420, 120B અને 34 IPC હેઠળ ગુનો કરવા બદલ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે. આરોપીઓ નંબર 2 અને 3ને પણ IPCની કલમ 506 હેઠળ ફોજદારી ધમકીના ગુના માટે સજા કરવામાં આવશે.’ છેતરપિંડીના કેસમાં વધુ સુનાવણી 20 ફેબ્રુઆરી, 2025ના રોજ હાથ ધરવામાં આવશે. અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે લોકો સિવાય તેમણે આ કેસમાં સુનાવણી માટે આપેલી તારીખે હાજર રહેવું પડશે. મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલા 9 ઓક્ટોબર, 2020ના રોજ કોર્ટે FIR નોંધવાના નિર્દેશની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.