મનોરંજન

વૈશાલીના મિત્રો જાણતા હતા તેની પીડા, છતાં પણ ન કરી શક્યાં તેની મદદ

Text To Speech

વૈશાલીની આત્મહત્યાની અંતર્ગત દરરોજ નવી નવી માહિતી સામે આવી રહી છે. કહેવાય છે કે દરેક સ્મિત પાછળ કોઈને કોઈ દર્દ છુપાયેલું હોય છે. આવું જ કંઈક ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર સાથે થયું. વૈશાલી હંમેશા હસ્તી રહેતી હતી, પણ તે આંતરિક રીતે ઘણી મુશ્કેલીઓમાં હતી. માટે અંતે હાર માની તેણે ગળાફાંસો ખાઈ દુનિયાને અલવિદા કહી દીધું હતું. હકીકતમાં વૈશાલીના મિત્રો તેની પીડા જાણતા હતા,  છતાં પણ તેની કોઈ મદદ ન કરી શક્યાં.

આ પણ વાંચો : એક્ટ્રેસ, સુસાઈડ અને સસ્પેન્સ ! પાડોશી ફરાર, સુસાઈડ નોટથી અનેક ખુલાસા !

વૈશાલીનાં ખાસ મિત્રો હતાં વિકાસ અને જ્હાન્વી

અભિનેતા વિકાસ સેઠીની પત્ની જ્હાન્વી અને વૈશાલી એક બીજાને લગભગ 10 વર્ષોથી ઓળખતા હતા. વૈશાલી જ્યારે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા મુંબઈ આવી હતી, ત્યારે તે થોડા વર્ષો સુધી જ્હાન્વી સાથે જ રહેતી હતી. વૈશાલી વિશે વાત કર્તા તેણે જણાવ્યું કે અમે બંને બહેનો જેવા હતા. એક બીજાને દરેક વાત કહેતા હતા.

વિકાસ અને વૈશાલીએ સુરાલ સીમર કા નામના શોમાં સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત અભિનેતા વિકાસ સેઠીએ જણાવ્યું હતું કે, વૈશાલી તેનાં લગ્નની ખરીદી માટે મુંબઈ આવવાની હતી ત્યારે તે વિકાસ અને જ્હાન્વીને મળવાની વાત કરી હતી. વિકાસે જણાવ્યું હતું કે, વૈશાલી તેમની દરેક ઉજવણીનો ભાગ હતી. વૈશાલીએ જ સૌથી પહેલા તેઓના બાળકોને પોતાના ખોળામાં લીધા હતા. તે ખુબ પ્રેમાળ હતી. તેની સાથેની કોઈ પણ ક્ષણ ફીકી નથી લાગી. વૈશાલીના લગ્ન મિતેશ નામક સોફ્ટવેર એન્જિનિયર સાથે થવાના હતા. પરંતુ અફસોસની વાતએ છે કે લગ્ન પહેલા જ વૈશાલીએ પોતાનો જીવ આપીને દુનિયાને અલવિદા કહી દીધું.

વૈશાલીએ એક્સ વિશે શું કહ્યું હતું ?

વૈશાલીએ આત્મહત્યાની ચિઠ્ઠીમાં ઘણી બધી બાબતો પરથી પડદો ઉઠાવ્યો છે. તેની આત્મહત્યા કરવાનું કારણ રાહુલ નવલાણી નામના વ્યક્તિને ગણાવ્યો છે. આત્મહત્યાની ચિઠ્ઠી વિશે જ્હાન્વીએ જણાવ્યું કે તેને લાગે છે કે વૈશાલી પોતાના એક્સને લીધે મુશ્કેલીમાં હતી. આ વિશે વૈશાલીએ જ્હાન્વી સાથે વાત કરી હતી. તેણે વૈશાલીને કહ્યું હતું કે આપણે મુશ્કેલીનો ઉકેલ લાવીશું. જોકે વૈશાલીએ તેને કહ્યું હતું કે ચિંતા ન કરે તે જાતે સંભાળી લશે.

વૈશાલીને હેરાન કરનાર વ્યક્તિ કોણ?

વૈશાલીનો સંબંધ પહેલા રાહુલ નવલાણી નામના વ્યક્તિ સાથે હતો, પરંતુ ત્યાર પછી રાહુલએ વૈશાલીને હેરાન કરવાનું શરુ કરી દીધું હતું. રાહુલ ઈન્દોરમાં વૈશાલીની પડોશમાં જ રહે છે. તે એક બિઝનેસમેન છે. રાહુલ વૈશાલીને ધમકી આપતો હતો કે વૈશાલીના લગ્ન કોઈ પણ સાથે નહિ થવા દે, રાહુલના લીધે વૈશાલીની સગાઇ પણ તૂટી ગઈ હતી, આ કારણે અભિનેત્રીને રાહુલ તેના લગ્ન 20 ઓક્ટોબરે નહિ થવા દે એવો ડર લાગી રહ્યો હતો.

આત્મહત્યાની ચિઠ્ઠીમાં વૈશાલીએ પોતાના દુખ વિશે જણાવ્યુ કે રાહુલ તેમણે શારીરિક તથા માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો. તેણે રાહુલ વિશે લખ્યું કે મમ્મી પપ્પા તમે અને હું, મારા કારણે બહુ હેરાન થઇ ગયા બસ હવે..ફક્ત મને ખબર છે કે આ 2 વર્ષમાં મેં કેટલી મોટી લડત લડી છે. રાહુલ નવલાણીએ મારી સાથે શું શું ખોટું નથી કર્યું… હું કઈ પણ નથી શકું એમ કે કઈ રીતે એણે મારું શોષણ કર્યું છે, તેણે માનસિક,શારીરિક શારીરિક શોષણ કર્યું અને અંતે તેણે કહ્યું હતુ કે મારા લગ્ન નહિ થવા દે અને તેણે એવું જ કર્યું.\

 ન્યાય માંગી રહ્યો છે વૈશાલીનો પરિવાર

વૈશાલીના અચાનક દુનિયાને અલવિદા કહી દેતાં અભિનેત્રીના પરિવારજનો આઘાતમાં છે. વૈશાલીનો પરિવાર ન્યાય માંગી રહ્યો છે. વૈશાલીના મોતથી તેના ચાહકોનું હૃદય તૂટી ગયું છે. દરેક વ્યક્તિ ભીની આંખો સાથે અભિનેત્રીને યાદ કરી રહ્યું છે.

Back to top button