ટોપ ન્યૂઝવર્લ્ડ

સુદાનમાંથી અમેરિકી રાજદૂતને સુરક્ષિત બહાર કઢાયા, ભારત સહિત 91 વિદેશી નાગરિકોને પણ બચાવાયા

Text To Speech
  • સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અથડામણ
  • અત્યાર સુધીમાં લગભગ 180 લોકોના મોત થયા
  • આવતા દિવસોમાં કેટલાક એરપોર્ટ ખોલવામાં આવે તેવી શક્યતા

સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અથડામણ ચાલી રહી છે. દેશમાં સ્થિતિ એવી છે કે અત્યાર સુધીમાં લગભગ 180 લોકોના મોત થયા છે. રવિવારે, સુદાનના રેપિડ સપોર્ટ ફોર્સે કહ્યું કે તેણે વોશિંગ્ટનની દૂતાવાસને ખાલી કરાવવા માટે યુએસ સૈનિકો સાથે કામ કર્યું છે. રાજદ્વારીઓ સિવાય, લગભગ 91 લોકો સાઉદી અરેબિયાની સુરક્ષા હેઠળ પ્રથમ વખત સુદાનથી સુરક્ષિત બહાર આવ્યા છે.

ટ્વીટ કરીને આપવામાં આવેલી માહિતી

રેપિડ એક્શન ફોર્સે રવિવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી. ટ્વીટમાં અર્ધલશ્કરી દળોનું કહેવું છે કે અમે અમેરિકન ટીમ સાથે રવિવારે સવારે રાજદૂતો અને તેમના પરિવારોને બહાર કાઢવા માટે કામ કર્યું હતું. ટ્વીટમાં તેમણે વધુમાં કહ્યું કે તમામ રાજદ્વારીઓને સંપૂર્ણ સહયોગ. અર્ધલશ્કરી દળોએ બાંહેધરી આપી છે કે તેમને જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં આવશે.

વિદેશી નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરશે

અન્ય દેશો કહે છે કે તેઓ સુદાનના એરપોર્ટ બંધ હોવા છતાં તેમના હજારો નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની તૈયારી કરી રહ્યા છે. જો કે, રેપિડ એક્શન ફોર્સે કહ્યું હતું કે તેઓ વિદેશી નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરશે. એટલા માટે દેશના એરપોર્ટ થોડા સમય માટે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં એ નક્કી નથી થયું કે કયા એરપોર્ટને ખોલવામાં આવશે. દેશમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સેંકડો લોકોના મોત થયા છે. હજારો લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, જેઓ જીવિત છે તેઓ ખાવા-પીવા જેવી પ્રાથમિક વસ્તુઓના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

Back to top button