ટ્રેન્ડિંગધર્મ

કમુરતામાં આ રાશિના લોકો ખાસ રાખે ધ્યાન, 14 જાન્યુ. સુધી સાચવજો

Text To Speech
  • કમુરતામાં સૂર્ય ભગવાન, વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. કમૂરતા 3 રાશિઓ માટે ખરાબ પરિણામ આપશે

HD ન્યુઝ ડેસ્કઃ 15મી ડિસેમ્બરથી કમુરતા શરૂ થઈ ચૂક્યા છે, જે 14મી જાન્યુઆરી 2025 સુધી ચાલશે. કમુરતા વર્ષમાં બે વાર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય ભગવાન ધનૂ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ધન રાશિમાં કમૂરતા લાગે છે. તે જ સમયે, જ્યારે સૂર્ય ભગવાન મીન રાશિમાં જાય છે, ત્યારે ત્યાં પણ કમુરતા લાગે છે. કમુરતામાં સૂર્ય ભગવાન, વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ ધન રાશિમાં લાગતા કમૂરતા 3 રાશિઓ માટે ખરાબ પરિણામ આપશે.

કમુરતાના સમયગાળામાં આ રાશિના લોકો ખાસ રાખે ધ્યાન, 14 જાન્યુ. સુધી સાચવજો hum dekhenge news

વૃષભ (બ,વ,ઉ)

વૃષભ રાશિના જાતકોને કમૂરતાના સમયગાળામાં આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય વિવાહિત લોકોને જીવનમાં તણાવનો સામનો કરવો પડશે. તેમજ ધંધામાં આર્થિક નુકસાન થવાની સંભાવના છે, આવી સ્થિતિમાં સાવધાનીપૂર્વક આગળ વધો. નોકરી-ધંધાના ક્ષેત્રમાં તમારી વાણીમાં કડવાશ ન રાખો.

કન્યા (પ,ઠ,ણ)

કન્યા રાશિના જાતકોએ કમૂરતાના સમયમાં દરેક ક્ષેત્રમાં સમજી વિચારીને નિર્ણય લેવા પડશે. આ લોકોએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે, નહીંતર મોટો વિવાદ થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યની તબિયત બગડવાથી ચિંતાઓ વધશે. તમારે લોન લેવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે અને તમે કાયદાકીય વિવાદોમાં ફસાઈ શકો છો.

ધન (ભ,ફ,ધ,ઢ)

ધન રાશિના જાતકોને કમૂરતાના સમયગાળામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધંધામાં ધનહાનિ થવાને કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે. તમારા લવ પાર્ટનર સાથે ઝઘડો થઈ શકે છે. વિવાહિત લોકો માનસિક તણાવથી પીડાશે. દૈનિક આવકમાં ઘટાડો થશે.

આ પણ વાંચોઃ મકર સંક્રાંતિ ક્યારે ઉજવાશે? પુણ્યકાળ અને સ્નાન-દાનનું શુભ મુહૂર્ત જાણો

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

આ પણ વાંચોઃ શનિદેવનો 30 વર્ષ બાદ દુર્લભ રાજયોગ, ત્રણ રાશિઓને કરશે માલામાલ

Back to top button