UPI યુઝર્સ હવે ટેન્શન ફ્રી થઈ જાવ: ટ્રાંજેક્શન ફેલ અથવા પૈસા અટકી જશે તો તરત પાછા મળી જશે, રાહ જોવી પડશે નહીં

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2025: દેશના કરોડો UPI યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. હવે યૂપીઆઈથી ટ્રાંજેક્શન ફેલ અથવા પૈસા અટકવા પર રિફંડ માટે કેટલાય દિવસ સુધી રાહ જોવી પડશે નહીં. ફટાફટ પૈસા મળી જશે. હકીકતમાં જોઈએ તો NPCIએ હવે ચાર્જબૈક અનુરોધ માટે સ્વીકૃતિ અને અસ્વીકૃતિ પ્રક્રિયાને ઓટોમેટેડ કરી દીધું છે. જો આપનું યૂપીઆઈ ટ્રાંજેક્શન ફેલ થઈ ગયું છે અને આપને હજુ સુધી રિફંડ નથી ણળ્યું તો આપને આપની બેન્કમાં ચાર્જબૈક રિક્વેસ્ટ કરવાની હોય છે. આપની બેન્ક દ્વારા ઉઠાવવામાં આવેલી રિક્વેસ્ટ હવે પહેલાથી વધારે ઝડપી નિવારણ લાવશે, કારણ કે તેને સ્વીકાર અથવા અસ્વીકાર કરવાની પ્રક્રિયા ઓટોમેટેડ થઈ ગઈ છે. એટલે કે આ પ્રક્રિયા ઝડપથી રિફંડ ઓછા સમયમાં આપશે.
10 ફેબ્રુઆરીએ જાહેર કર્યું હતું સર્કુલર
10 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવેલા એક સર્કુલરમાં એનસીપીસીઆઈએ કહ્યું કે, નવા નિયમ અંતર્ગત લાભાર્થી બેન્કો દ્વારા દાખલ કરવામાં આવેલા ટ્રાંજેક્શન ક્રેડિટ કન્ફર્મેશન (TCC)અથવા રિટર્ન રિક્વેસ્ટ (RET)ના આધાર પર ચાર્જબૈક અનુરોધ અથવા તો ઓટોમેટેડ રીતે સ્વીકાર અથવા અસ્વીકાર કરી દેવામાં આવશે. TCC અથવા RET લેવડ દેવડની સ્થિતિ વિશે સંચારક તરીકે કામ કરે છે. એ દર્શાવે છે કે, પૈસા લાભાર્થી બેન્ક પાસે છે કે નહીં. જો પૈસા પહેલાથી લાભાર્થી બેન્ક પાસે છે, તો લેવડદેવડ સફળ માનવામાં આવશે અને ચાર્જ બૈક અનુરોધની કોઈ જરુરિયાત રહેશે નહીં. જો કોઈ કારણથી લાભાર્થી બેન્કમાં પૈસા જમા નથી કરાવી શકતો તો તેને પ્રેષક બેન્કના ગ્રાહકોને પાછા કરી દેવામાં આવશે. આ આખી પ્રક્રિયામાં પહેલા મેન્યુઅલ જોડાણ સામેલ હતું. હવે તેને ઓટોમેટેડ કરી દીધું છે.
આજથી ઓટોમેટેડ પ્રક્રિયા શરુ થઈ
નિષ્ણાતોનું કહેવું છે કે યૂપીઆઈ ટ્રાંજેક્શન ફેલ થવાની સ્થિતિમાં સહજ અને પ્રભાવી બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે. નવી ઓટોમેટેડ પ્રક્રિયા 15 ફેબ્રુઆરી 2025 એટલે કે આજથી શરુ થઈ રહી છે. સંશોધિત ચાર્જબૈક પ્રક્રિયાને લાગૂ થવાની સ્થિતિ વધારે સારી થશે. મોટા ભાગે યૂપીઆઈ દ્વારા સ્વીકૃત માનવામાં આવતી લેવડદેવડ પર લાભાર્થી બેન્કો દ્વારા કાર્યવાહી કરતા પહેલા ટ્રાંસફર કરનારી બેન્ક દ્વારા ચાર્જબૈક શરુ કરવામાં આવે છે, કારણ કે વર્તમાન પ્રક્રિયા મોકલનારા બેન્કોને યૂઆરસીએસમાં ટી+0થી આગળ ચાર્જબેક વધારવાની પરવાનગી આપે છે. જેના કારણે લાભાર્થી બેન્કને વિવાદના ચાર્જબૈક લેતા પહેલા રિટર્ન (આરઈટી) ટીસીસીને સમેટવા અને એક્ટિવ રીતે સંશોધિત કરવા માટે પર્યાપ્ત સમય નથી મળતો. એવા કેટલાય ઉદાહરણ છે, જ્યાં લાભાર્થી બેન્કોએ આરઈટી વધારી દીધું છે અને રિટર્નની સ્થિતિની તપાસ નથી કરી છે.
આ પણ વાંચો: હપ્તા પર બાઈક લેવા માટે પર્સનલ લેવી જોઈએ કે ટૂ વ્હીલર લોન, બંનેમાંથી ફાયદાકારક કઈ રહેશે? અહીં જાણો