ઉત્તર ગુજરાત

મુક્તિધામ ડીસામાં મોદી સમાજના કુળદેવીની મૂર્તિની કરાઈ અનાવરણ વિધિ

Text To Speech

પાલનપુર: ડીસા શહેરમાં આવેલ શ્રી મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડીસા સ્મશાન ગૃહ ખાતે ડીસા મોઢ મોદી ધાચી જ્ઞાતિ સમાજની કુળદેવી શ્રી બહુચર માતાની મૂર્તિની અનાવરણ વિધિ કરવામાં આવી હતી. આસો સુદ -૧ને પ્રથમ નવરાત્રીના દિવસે સ્મશાન ગૃહ બહુચર માતાની મૂર્તિનું અનાવરણ પ્રસંગે મોદી સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ કાનુડાવાલા, કનુભાઈ ભરતીયા, દેવચંદભાઈ હેરૂવાલા, વિનોદભાઈ પંચીવાલા, વિપુલભાઈ મહેસુરીયા, શૈલેષભાઈ કાનુડાવાલા, જયેશભાઈ કાનુડાવાલા, બકુલભાઈ ભરતીયા, ખાસ હાજરી આપીને શ્રી મુક્તિધામ ટ્રસ્ટના આગેવાન પ્રકાશભાઈ ભરતીયા, ઉપસ્થિત રહ્યા હતા.

પાલનપુર- humdekhengenews

તેમજ ડીસા મોદી સમાજ દ્વારા મુક્તિધામ માં શિવ મંદિર બનાવવા માટે સમાજ તરફથી 51,111 ( એકાવન હજાર એકસો અગિયાર) રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દિવાળી પહેલાં ચૂંટણી થશે જાહેર, પાટીલે આપ્યા સંકેત

Back to top button