ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યના 10 જિલ્લામાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, માર્ગદર્શિકા જાહેર

Text To Speech
  • ગાંધીનગર,અમદાવાદ સહિત રાજ્યના ૧૦ જિલ્લાઓમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રો અને એ.પી.એમ.સી માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

ગુજરાત, 02 ડિસેમ્બર: રાજ્યમાં હવામાન ખાતાની આગાહી મુજબ તા. ૦૩ અને ૦૪ ડિસેમ્બરે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ ૧૦ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડૂતો અને એ.પી.એમ.સીના વેપારીઓ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

નિયામકની કચેરી દ્વારા ખેડૂતો તેમજ એ.પી.એમ.સીના વેપારીઓ માટે માર્ગદર્શિકા જાહેર:

  • કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરી પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી જોઈએ અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીએ જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.
  • જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ.
  • ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલડે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવું જોઈએ.
  • આ ઉપરાંત એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તેમજ વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક, KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર- ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચો: પાલનપુરમા જમીનનો વિવાદ લોહિયાળ બન્યો, સગા ભત્રીજાએ કુંવારા કાકાનું ઢીમ ઢાળી દીધું

Back to top button