કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત થયા, ટ્વિટ કરીને જાણકારી આપી


કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત થયા છે. સિંધિયાએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. સિંધિયાએ ટ્વિટ કર્યું કે હું તમને બધાને જણાવવા માંગુ છું કે ડોક્ટરોની સલાહ પર કરવામાં આવેલી કોવિડ-19ની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું તમને બધાને વિનંતી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ નજીકના આરોગ્ય કેન્દ્ર પર જાઓ અને તમારી તપાસ કરાવો.

મંગળવારે સવારે બીજેપી બેઠકમાંથી પણ નીકળી ગયા હતા
ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે બીજેપીના સ્ટેટ કોર ગ્રૂપની બેઠકમાં સામેલ થયા હતા પરંતુ અચાનક સ્વાસ્થ્યના કારણોસર થોડા સમય બાદ બેઠક છોડી દીધી હતી. બીજેપી અધિકારીઓએ કહ્યું હતું કે સિંધિયા તાવથી પીડિત છે. જો કે, તેમની બેઠકમાંથી વિદાયને લઈને ઘણી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી. હવે કેન્દ્રીય મંત્રીએ ખુદ ટ્વીટ કરીને કોરાના સંક્રમિત થવાની માહિતી આપી છે.