ગુજરાતટોપ ન્યૂઝ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે : સોમનાથ અને ગાંધીનગરમાં કાર્યક્રમ

Text To Speech

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ આગામી 18 અને 19મી તારીખે બે દિવસ ગુજરાતના મહેમાન બનશે. આ દરમિયાન તેઓ લોકસભા મત વિસ્તાર તેમજ સોમનાથ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ગાંધીનગર મત વિસ્તારમાં તેઓ ઘણી બેઠકો યોજશે. આ ઉપરાંત તેઓ અધિકારીઓ સાથે મિટિંગ યોજશે. કેન્દ્રીય ગૃહમંત્રીની શનિવારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસના કામો અંગે ચર્ચા કરશે. દરમિયાન અમિત શાહના આગમનને લઈ ગાંધીનગર લોકસભાનું વહિવટી તંત્ર પણ સક્રિય થઈ ગયું છે.

સોમનાથ મંદિરમાં કરશે પૂજા-અર્ચના

અમિતભાઇ શાહના ગુજરાત પ્રવાસ અંગે અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેમના પ્રવાસ દરમિયાન અમિત શાહ જૂનાગઢ જિલ્લા બેંક હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે અને સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી જૂનાગઢમાં APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે અને જૂનાગઢ જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ પણ તેઓ કરવાના છે.

વિવિધ વિકાસ કાર્યો કરશે લોકાર્પણ

વધુમાં તેમના પ્રવાસની માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા ઉપરાંત તેઓ સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાંજે અમિત શાહ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે.

ગાંધીનગરમાં યોજાનારી ડેરી ઉદ્યોગ સંમેલનમાં ભાગ લેશે

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન ડેરી ઉદ્યોગ સંમેલન તેમજ બે વિશ્વ વિદ્યાલયોના દિક્ષાંત સમારોહ સહિત ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. ગૃહમંત્રી 18 માર્ચે ભારતીય ડેરી એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં યોજાનારી 49મા ડેરી ઉદ્યોગ સંમેલનમાં ભાગ લેશે. તેઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠકમાં હાજરી આપશે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફ્રી ફૂડ ડ્રાઇવ શરૂ કરાવશે.

Back to top button