ચૂંટણી 2022નેશનલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના જમ્મુના પ્રવાસે, જાણો આખો કાર્યક્રમ

Text To Speech

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે સાંજે રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે જમ્મુ પહોંચી ગયા છે. એરપોર્ટ પર તેમના આગમન સમયે વહીવટી અધિકારીઓ અને ભાજપના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓ સીધા રાજભવન પહોંચશે. જ્યાં તેઓ રાત્રી રોકાણ કરશે અને આવતીકાલે સવારે તેઓનો કાર્યક્રમ શરૂ થશે.

આ પણ વાંચો : ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણીની મુદ્દતમાં કરાયો વધારો

કાલ સવારથી શરૂ થશે કાર્યક્રમોની વણઝાર

આવતીકાલથી શરૂ થતાં પ્રવાસના પ્રથમ દિવસે તેઓ નાગરિક સમાજ, ઉદ્યોગપતિઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિમંડળોને મળવાના છે. જ્યારે કે, તા. 4 ઓક્ટોબરે મા વૈષ્ણોના દરબારમાં માથું નમાવ્યા બાદ તેઓ રાજોરી બસ સ્ટેન્ડ ખાતે રેલીને સંબોધશે. રાજોરીમાં પહાડીઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જાહેરાત પણ થઈ શકે છે. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ જમ્મુના કન્વેન્શન સેન્ટરમાં ભાજપના પસંદગીના નેતાઓને મળશે. તેઓ સાંજે જ શ્રીનગર જવા રવાના થશે. 5 ઓક્ટોબરે તે બારામુલા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં એક રેલીને સંબોધિત કરશે. શ્રીનગરમાં જ તેઓ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાનના વિકાસ પેકેજની પ્રગતિ જાણશે. આ સાથે અમે કાયદો અને વ્યવસ્થા અને આતંકવાદી ઘટનાઓની સમીક્ષા કરશે. આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ હાજર રહેશે. શાહની સાથે ગૃહ મંત્રાલય અને વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ હશે. મુલાકાત દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે.

Back to top button