ગુજરાત

કેન્દ્રીય કેબિનેટે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનને મંજૂરી આપી

Text To Speech

પાલનપુર: છેલ્લા ઘણા વર્ષોથી તારંગા, અંબાજી, આબુરોડ રેલ્વે લાઈન માટેની વર્ષોથી પડતર માગણી હતી. લોકો જેની રાહ જોઈને બેઠા હતા તે હવે માગણી હવે પુરી થઈ છે. આ રેલવે લાઈનની માંગણીને કેન્દ્ર સરકારે હવે સ્વીકારી લીધી છે. કેન્દ્રની કેબિનેટે આ રેલ્વે લાઈનને મંજૂરી આપતા આ વિસ્તારમાં હવે રોજગારી સાથે વિકાસ પણ થશે. કેન્દ્રીય કેબિનેતે આપેલી મંજૂરીને લઈને લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

અંબાજી સાથે કનેક્ટિવિટીની લાંબા સમયથી માંગ હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલય દ્વારા રૂ. 2798.16 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવનાર તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનના નિર્માણને મંજૂરી આપી છે. નવી રેલ લાઇનની કુલ લંબાઈ 116.65 કિલોમીટર હશે. આ પ્રોજેક્ટ 2026-27 સુધીમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ લગભગ 40 લાખ કામકાજ માટે બાંધકામ દરમિયાન સીધી રોજગારીનું સર્જન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ, આ પ્રોજેક્ટ કનેક્ટિવિટી વધારશે અને ગતિશીલતામાં સુધારો કરશે જેનાથી પ્રદેશનો એકંદર સામાજિક આર્થિક વિકાસ થશે.
અંબાજી એ ગુજરાત નહીં ભારતનું એક પ્રખ્યાત મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે અને તે ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે. દર વર્ષે ગુજરાત તેમજ દેશના અન્ય ભાગો અને વિદેશમાંથી લાખો ભક્તોને આકર્ષે છે. આ લાઇનના નિર્માણથી આ લાખો શ્રદ્ધાળુઓ માટે સરળ મુસાફરીની સુવિધા થશે. વધુમાં, તારંગા હિલ ખાતે અજિતનાથ જૈન મંદિર (24 પવિત્ર જૈન તીર્થંકરોમાંથી એક)ની મુલાકાત લેતા ભક્તોને પણ આ કનેક્ટિવિટીનો ઘણો ફાયદો થશે. તારંગા હિલ-અંબાજી-આબુ રોડ વચ્ચેની આ રેલ્વેની નવી લાઇન આ બે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો રેલવેના મુખ્ય નેટવર્ક સાથે જોડશે.

અંબાજી

પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 2798.16 કરોડ

આ લાઇન કૃષિ અને સ્થાનિક ઉત્પાદનોની ઝડપી હિલચાલને સરળ બનાવશે.અને ગુજરાત અને રાજસ્થાન રાજ્યની અંદરના પ્રદેશમાં અને દેશના અન્ય ભાગોમાં પણ લોકોને સુધારેલી ગતિશીલતા પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ હાલની અમદાવાદ-આબુ રોડ રેલ્વે લાઇન માટે વૈકલ્પિક માર્ગ પણ પ્રદાન કરશે. સૂચિત ડબલિંગનું રાજસ્થાનના સિરોહી જિલ્લા અને ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પસાર થશે. નવી રેલ લાઇનનું નિર્માણ રોકાણને આકર્ષિત કરશે અને પ્રદેશના એકંદર સામાજિક-આર્થિક વિકાસ તરફ દોરી જશે.

બનાસકાંઠા-મહેસાણામાં ખુશી પ્રસરી

ગુજરાતના તિરુપતિ સમાન ગણાતા એવા પવિત્ર યાત્રાધામ અંબાજીમાં વર્ષે દાડે એક કરોડથી પણ વધુ યાત્રિકો માં અંબાના દર્શન કરવા માટે આવે છે. જ્યારે તારંગા હિલમાં પણ જૈન દેરાસર આવેલા છે.આમ આ રેલ્વે લાઈન ની મંજૂરીથી મહેસાણા જિલ્લાનું તારંગા હિલ અને પવિત્ર યાત્રાધામ અંબાજીથી આબુરોડ સાથેની રેલવેની આ કનેક્ટિવિટીથી લોકોને મોટો ફાયદો થવાનો છે. જેને લઈને રાજસ્થાન અને ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણાના લોકોમાં આનંદની લહેર પ્રસરી છે.

Back to top button