ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રધાનમંત્રી આવાસ યોજના (રૂરલ) હેઠળ રાજ્યમાં વધુ 2.44 લાખ આવાસ બનાવાશે

Text To Speech
  • કેન્દ્ર સરકારે આવાસ બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી
  • 2024-25ના વર્ષમાં 2 લાખ 99 હજાર આવાસોનો લક્ષ્યાંક

ગાંધીનગર, 26 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક જરૂરતમંદ પરિવારને પોતિકું આવાસ-છત્ર આપવા શરૂ કરેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થી લક્ષ્યાંક સિદ્ધિના પરફોર્મન્સમાં 2016થી ગુજરાતની અગ્રેસરતાને કેન્દ્ર સરકારે મંજૂરીની મહોર મારી છે.

આ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં 2024-25ના વર્ષ માટે ગુજરાતને આપવામાં આવેલા 54 હજાર આવાસના લક્ષ્યાંક સામે આ યોજનાના અમલીકરણમાં ગુજરાતની શ્રેષ્ઠતા અને લાભાર્થીઓની વધુ સંખ્યાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના 2.44 લાખ આવાસોનો લક્ષ્યાંક પી.એમ.એ.વાય.-ગ્રામીણ માટે ફાળવ્યો છે.

આ લક્ષ્યાંક સાથે હવે 2024-25ના વર્ષમાં રાજ્યમાં 2 લાખ 99 હજાર પ્રધાનમંત્રી આવાસો ગ્રામીણ ક્ષેત્રોમાં નિર્માણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ 2.99 લાખ આવાસો પૂર્ણ થતાં ગુજરાતમાં પી.એમ.એ.વાય.ગ્રામીણના પ્રતીક્ષા-યાદીના પાત્રતા ધરાવતા બધા જ લાભાર્થીઓને આવરી લેવાની કામગીરી પૂર્ણ થઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યનો ગ્રામ વિકાસ વિભાગ 2.99 લાખ પી.એમ.એ.વાય.-ગ્રામીણના નિર્માણ દ્વારા 100 ટકા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવાની દિશામાં સજ્જ બન્યો છે.

Back to top button