Diwali 2023ટ્રેન્ડિંગધર્મ

તુલસી વિવાહ પર બની રહ્યા છે 3 શુભ સંયોગઃ લગ્ન જીવનમાં આવશે ખુશીઓ

  • દેવઉઠી એકાદશી કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. બીજા જ દિવસે તુલસી વિવાહનો તહેવાર ઉજવવામાં આવે છે. જેને વિવાહ બારસ પણ કહેવાય છે.

દર વર્ષે, તુલસી વિવાહ કારતક શુક્લ પક્ષની બારસે કરવામાં આવે છે. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીને દેવી તરીકે પૂજવામાં આવે છે અને તેનું બીજુ નામ વિષ્ણુપ્રિયા પણ છે. આ વખતે તુલસી વિવાહ 24 નવેમ્બર અને શુક્રવારના રોજ ઉજવાશે.

હિંદુ કેલેન્ડર મુજબ, દેવઉઠી એકાદશી કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. બીજા જ દિવસે તુલસી વિવાહનો તહેવાર ઉજવવામાં આવે છે. જેને વિવાહ બારસ કહેવાય છે. આ દિવસે માતા તુલસીના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે થાય છે. વાસ્તવમાં શાલિગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.

દેવઉઠી એકાદશીના દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે. આ પછી તુલસી-શાલિગ્રામ વિવાહનું આયોજન કરવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે દ્વાદશી તિથિ 23મી નવેમ્બરે રાત્રે 9.01 કલાકે શરૂ થશે અને 24મી નવેમ્બરે સાંજે 7.06 કલાકે સમાપ્ત થશે. તેથી આ વખતે તુલસીના લગ્ન 24 નવેમ્બરે જ થશે.

તુલસી વિવાહ પર બની રહ્યા છે 3 શુભ સંયોગઃ લગ્ન જીવનમાં આવશે ખુશીઓ hum dekhenge news

રચાશે ત્રણ શુભ સંયોગ

આ વખતે તુલસી વિવાહ માટે અનેક શુભ મુહૂર્ત રચાઈ રહ્યા છે. આ દિવસે તુલસી વિવાહનો સમય સાંજે 5.25 વાગ્યાથી શરૂ થશે. આ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, સિદ્ધિ યોગ પણ છે. અમૃત સિદ્ધિ યોગ 24 નવેમ્બરે સવારે 6.51 વાગ્યે શરૂ થશે, જે ચાર વાગ્યા સુધી ચાલશે. સર્વાર્થ સિદ્ધિ યોગ 24 નવેમ્બરે આખો દિવસ રહેશે. આ યોગમાં ધર્મના કાર્યો શ્રેષ્ઠ માનવામાં આવે છે. સિદ્ધિ યોગ 24 નવેમ્બરે સવારે 9.05 વાગ્યે પૂરો થશે.

આ રીતે કરો તુલસી વિવાહ

એક બાજુ પર તુલસીનો છોડ અને બીજી બાજુએ શાલિગ્રામ લગાવો. તેમની બાજુમાં પાણીથી ભરેલો એક કળશ મૂકો અને તેના પર આંબાના પાંચ પાન મૂકો. તુલસીના વાસણમાં ગેરુ લગાવો અને ઘીનો દીવો પ્રગટાવો. તુલસી અને શાલિગ્રામ પર ગંગાજળ છાંટીને ચંદન તિલક લગાવો. શેરડી વડે મંડપ બાંધો. તુલસીજીને લાલ ચૂંદડીથી શણગારો. આ પછી શાલિગ્રામને હાથમાં લઈને તુલસીની સાત વાર પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ પછી આરતી કરો. તુલસી વિવાહ પૂર્ણ થયા બાદ તમામ લોકોને પ્રસાદ વહેંચો. પ્રસાદમાં શેરડી, ફળ અને સૂકો મેવો કે મીઠાઈ રાખી શકાય.

તુલસી વિવાહ પર બની રહ્યા છે 3 શુભ સંયોગઃ લગ્ન જીવનમાં આવશે ખુશીઓ hum dekhenge news

જીવનસાથી સાથે કરો તુલસી વિવાહ

જો તમારા લગ્ન જીવનમાં કોઈ પરેશાની ચાલી રહી હોય તો તુલસી વિવાહના દિવસે પતિ-પત્ની બંને એક સાથે તુલસી માતા અને વિષ્ણુજીના અવતાર શાલિગ્રામની વિધિવત પૂજા કરે. ત્યારબાદ તુલસી મંગળાષ્ટકના પાઠ કરે. એવી માન્યતા છે કે આ ઉપાયથી લગ્નજીવનની મોટી પરેશાનીઓમાંથી પણ છુટકારો મળે છે અને જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થાય છે. લગ્ન જીવનમાં સુખ માટે તુલસી વિવાહ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે તુલસી વિવાહ દરમિયાન તુલસી માતાને સોળ શ્રૃંગારની સામગ્રી અર્પિત કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ વધે છે અને કુંવારી કન્યાના લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય છે.

ઘીનો દીવો કરો

તુલસી વિવાહને કન્યાદાન જેટલું પુણ્યશાળી કામ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તુલસીના છોડ સામે ઘીનો દીવો કરવો જોઈએ. આ ઉપાયથી ગૃહ કલેશમાંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચોઃ બ્રહ્માની માનસપુત્રી છે ષષ્ઠી દેવીઃ ભોજપુરી ગાયિકાનો છઠ પૂજા પર રેકોર્ડ

Back to top button