ગુજરાત

મોરબી-માળિયા હાઇવે પર ત્રિપલ અકસ્માત; લોહાણા સમાજના એક જ કુટુંબના ત્રણ લોકો સહિત પાંચના મોત

Text To Speech

મોરબીઃ મોરબી-માળીયા હાઇવેના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં એક ગાડીનું ટાયર ફાટ્યાં બાદ બીજી ગાડી સાથે અકસ્માત થવાની સાથે કચ્છ તરફ જતી ટેમ્પો ટ્રાવેલ્સ સાથે ગાડી અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં મોરબીના લોહાણા પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ લોકોના મૃત્યુ નિપજવાની સાથે ડઝનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં રાજ્યમંત્રી મેરજા, સહકારી ક્ષેત્રના અગ્રણી મગનભાઈ વડાવીયા અને મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યાંમાં સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા

પાંચ લોકોના મોત
અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, મોરબી માળીયા હાઇવે ઉપર અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે આવેલ હોટલ પાસે કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા મોરબીના વકીલ પીયૂષભાઈ રવેશિયાના માતા-પિતા અને તલાટી કમ મંત્રી એવા બહેનનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકોમાં મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા, સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, મહેન્દ્રભાઈના પુત્રી જિજ્ઞાબેન જિગરભાઈ જોબનપુત્રા અને જિજ્ઞાબેનના પાંચ વર્ષના બાળકનું તેમજ માધાપર કચ્છના ભુડિયા જાદવજીભાઈ રવજીભાઈનું મૃત્યું નીપજ્યું હતું.

મંત્રી બ્રિજેશ મેરજા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા

એક ડઝન લોકો ઇજાગ્રસ્ત થયા
વધુમાં કારનું ટાયર ફાટ્યાં બાદ સામે અન્ય એક કાર સાથે અકસ્માત થવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત ફરી રહેલા કચ્છના પરિવારની ટેમ્પો ટ્રાવેલ્સ પણ અકસ્માતનો ભોગ બનતા ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર એક ડઝન જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તલાટી કમ મંત્રી જિજ્ઞાબેન જોબનપુત્રા મોરબીના ભળીયાદ ખાતે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે. આ ગંભીર અને ગમખ્વાર અકસ્માતની જાણ થતાં રાજયમંત્રી મેરજા, સહકાર અગ્રણી મગનભાઈ વડાવીયા અને મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ મોરબી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.

Back to top button