ટોપ ન્યૂઝમધ્ય ગુજરાતશતાબ્દી મહોત્સવ

આવતીકાલે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહૂતિ !

છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યા આ  પ્રમુખસ્વામી મહોત્સવનો ક્યાં અંતિમ દિવસ  છે.  ત્યારે  આજે નગરમાં ચાલી રહેલા પ્રદર્શનો , નૃત્ય નાટિકા અને જાગૃતિ કાર્યક્ર્મોનો પણ અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં દેશ વિદેશના લાખો લોકો આ આ મહોત્સવના દર્શન કરી ચૂક્યા છે. આજે જ્યારે આ મહોત્સવનો અંતિમ દિવસે માટે સવારે 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી તમામ જગ્યાએ પ્રવેશ મળશે.

આ પણ વાંચો : પતંગની મજા વચ્ચે ઈમરજન્સી સેવા 108 ને સૌથી વધુ કોલ બપોર સુધીમાં જ મળ્યા

અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી ચાલતા સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્થાનનો સંદેશ આપતા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની આવતી કાલે પૂર્ણાહૂતિ છે. આવતીકાલે આ મહોત્સવનું સમાપન થઈ જશે. આજે આ નગરમાં ચાલતા તમામ પ્રદર્શનો, નૃત્ય નાટિકા આ તમામ  કાર્યક્ર્મોનો અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં દેશ વિદેશના લાખો  હરિભક્તોએ આ આ મહોત્સવના દર્શન કરી ચૂક્યા છે. આજે અંતિમ દિવસે સવારે 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી તમામ જગ્યાએ પ્રવેશ મળશે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ - humdekhengenews

વિવિધ પ્રદર્શનો નિહાળી દ્વારા લોક જાગૃતિ

પ્રમુખસ્વામી મહારાજ નગરના પ્રેરણાદાયી આકર્ષણો અને પ્રદર્શનો દ્વારા દેશ વિદેશના લાખો હરિભક્તોએ અહીં દર્શન કર્યા છે તેમજ લોકોએ વ્યસનમુક્તિ, પારિવારિક શાંતિ, સામાજિક દાયિત્વ અને રાષ્ટ્રભક્તિ, આવા વિવિધ સંદેશો અહી થી કોલોને મળ્યા છે.  ચલો તોડ દે યે બંધન, અને તૂટે હ્યદય તૂટે ઘર સંવાદ દ્વારા હજારો લોકો થયા વ્યસનમુક્તિ અને પારિવારિક શાંતિ માટે નિયમબદ્ધ થયા હતા.

પ્રેરણાત્મક સંદેશ આપતા ગ્લો ગાર્ડન બન્યું પ્રસિદ્ધ

પ્રમુખ સ્વામી નગરમાં બનાવવામાં આવેલું ગ્લો ગાર્ડન એટલે કે પ્રમુખ જયોતિ ઉદ્યાનમાં આવેલી વિવિધ કૃતિઓએ લોકોના મન મોહી લીધા હતા. તે ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ મહા-મૂર્તિ, દિલ્લી અક્ષરધામ પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ, કલાત્મક સંતદ્વાર, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લા એક મહિનાથી લાખોને પ્રેરક સંદેશ આપી રહ્યા છે.

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 'ગ્લો ગાર્ડન', જાણો શું છે આની ખાસિયત..... - humdekhengenews

એક મહિના દરમિયાન આ વિવિધ ઉત્સવની ઉજવણી

  • 15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન ઉદ્ઘાટન થશે
  • 16 ડિસેમ્બરે સંસ્કૃતિ દિન, 17 ડિસેમ્બરે પરાભક્તિ દિન
  • 18 ડિસેમ્બરે મંદિર ગૌરવ દિન
  • 19 ડિસેમ્બરે ગુરુભક્તિ દિન
  • 20 ડિસેમ્બરે સંવાદિતા દિન
  • 21 ડિસેમ્બરે સમરસતા દિન
  • 22 ડિસેમ્બરે આદિવાસી ગૌરવ દિન
  • 23 ડિસેમ્બર અધ્યાત્મ અને આરોગ્ય દિન
  • 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિન
  • 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંમેલન
  • 26 ડિસેમ્બર સ્વામિનારાયણીય સંત સાહિત્ય લોકસાહિત્ય દિન
  • 27 ડિસેમ્બરે વિચરણ સ્મૃતિદિન
  • 28 ડિસેમ્બરે સેવા દિન
  • 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
  • 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
  • 31 ડિસેમ્બરે દર્શન શાસ્ત્ર દિન
  • 1 જાન્યુઆરીએ બાળ યુવા કીર્તન આરાધના
  • 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
  • 3 જાન્યુઆરીએ યુવા સંસ્કાર દિન
  • 4 જાન્યુઆરીએ ગુજરાત ગૌરવ દિન
  • 5 જાન્યુઆરીએ મહિલા દિન-1
  • 6 જાન્યુઆરીએ બીએપીએસ અખાતી દેશ દિન
  • 7 જાન્યુઆરીએ બીએપીએસ નોર્થ અમેરિકા દિન
  • 8 જાન્યુઆરીએ બીએપીએસ યુકે-યુરોપ દિન
  • 9 જાન્યુઆરીએ બીએપીએસ આફ્રિકા દિન
  • 10 જાન્યુઆરીએ મહિલા દિન-2
  • 11 જાન્યુઆરીએ બીએપીએસ એશિયા પેસિફિક દિન
  • 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
  • 13 જાન્યુઆરી સંત કીર્તન આરાધના
આ વિવિધ કાર્યક્રમો અને લોક જાગૃતિ દ્વારા લોકોને સંદેશ અપાયા છે. તો આવતીકાલે આ સામાજિક સંદેશ આપતા મહોત્સવ ની પૂર્ણાહુતિ થશે.
Back to top button