ગુજરાતટોપ ન્યૂઝ

પ્રબોધસ્વામીનો મહિમા વધારવા સાધુએ મનઘડત વાતો કરી, જુઓ શું બોલી ગયા મહાદેવ માટે

Text To Speech

હાલમાં સનાતન ધર્મ પર પ્રહાર કરવાની મોટી ઘટના સામે આવી છે. હરિધામ-સોખડાથી છેડો ફાડી પોતાનો અલગ ચોકો રચનારા પ્રબોધસ્વામીના સમર્થક સાધુ આનંદસાગરે અમેરિકાની ધરતી પર દેવાધિદેવ મહાદેવનું અપમાન કરતો વાણી-વિલાસ કરતો વિડીયો સામે આવ્યો છે. જેના સામે મહાદેવના ભક્તો દ્વારા વિવાદ સર્જાયો અને સ્વામીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

શું કર્યો વાણી વિલાસ ?

અમેરિકાની ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયેલા સાધુ આનંદ સાગરે 26મી ઓગસ્ટે શિબિરમાં વાણીવિલાસ કર્યો હતો. જેમાં, પ્રબોધ સ્વામીનો મહિમા વધારવા માટે મનઘડત વાતો રજુ કરતાં જણાવ્યું હતું કે, આત્મીય વિદ્યાધામની ધરતી ઉપર રહેતા નિશિત નામના સત્સંગી યુવાનને પ્રબોધસ્વામીએ કહ્યું હતું કે આત્મીય વિદ્યાધામના ગેટ પાસે જા, સાધુની આજ્ઞા માની નિશિત મેઇન ગેટ પાસે પહોંચ્યો હતો. જ્યાં બંધ ગેટની બહાર શિવજી ઊભા હતા ! પિક્ચરમાં જોઇએ છે એમ શિવજીની જટા હતી.

આ પણ વાંચો : પાક રક્ષણ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય અપાશે : રાજ્ય સરકારની જાહેરાત

પ્રબોધ સ્વામીનો મહિમા વધારવાની લહાયમાં સાધુએ આગળ કહ્યું કે, શિવજીને જોઇ નિશિતે પ્રાર્થના કરી હતી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો, પ્રબોધસ્વામીના પણ આપને દર્શન થઇ જશે. ત્યારે, શિવજીએ એમને કહ્યું હતું કે પ્રબોધસ્વામીના મને દર્શન થાય એવા મારા પુણ્ય જાગૃત નથી થયા, પણ મને તમારા દર્શન થઇ ગયા એ અહોભાગ્ય છે. એમ કહીં, શિવજી નિશિતના ચરણસ્પર્શ કરીને જતા રહ્યા. આવા વાણીવિલાસની વિડીયો ક્લિપ વાયરલ થતા તેના ઊગ્ર પડઘા પડયા છે.

પ્રબોધસ્વામીએ સાધુને રોક્યા  કેમ નહીં ?

જોકે નવાઈની વાત એ છે કે, આ સમગ્ર વાણીવિલાસ દરમિયાન ત્યાં હાજર વરિષ્ઠ સાધુઓ અને પ્રબોધસ્વામી પણ મૌન રહ્યા હતા. તેમણે જરા પણ ટકોર કરી ન હતી. જેના કારણે મહાદેવ ભક્તોમાં ભારે રોષ ઉઠી રહ્યો છે. સાથે જ સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રબોધસ્વામી સામે પણ વિરોધ થઈ રહ્યો હતો.

 

રોષ વધતાં માફી માંગી

આ પછી વિવાદ વધતાં પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ માફી માંગી છે. તેમણે કહ્યું કે, મેં માત્ર એક યુવકની લાગણીની વાત ના ભાવ આપવાની કોશિશ કરી છે. તથા મારી ભૂલ થઈ છે તમામ શિવ ભક્તોની માફી માંગુ છું. તેમજ પ્રબોધ સ્વામીએ પણ મને કડક શબ્દોમાં સૂચન કર્યું છે. તેમજ શિબિર દરમ્યાન મને મૌન અને 7 દિવસના ઉપવાસ આપ્યા છે. તથા પ્રબોધ સ્વામીએ મને તેજ સમયે શિક્ષા આપી દીધી છે.

આ પણ વાંચો : સોખડાનો વિવાદ દરિયાપાર પહોંચ્યો, પ્રેમસ્વરૂપ મહારાજને ન્યૂજર્સી ખાતે આવેલા મંદિરમાં પ્રવેશ ન અપાયો, રસ્તા પરથી જ દંડવત કર્યા

Back to top button