ટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષ

અયોધ્યામાં રાવણરાજ! રામપથ પર હજારો લાઈટો અને પ્રોજેક્ટરની ચોરીઃ પોલીસ ઊંઘતી રહી

Text To Speech

અયોધ્યા – 14 ઓગસ્ટ : અયોધ્યામાં જાણે રાવણો ઘૂસી આવ્યા હોય એવું લાગે છે. રામ લલ્લા મંદિર તરફ જતા રામપથ અને ભક્તિ પથ પર લગાવેલી 3,800 ‘વાંસની (બામ્બુ) લાઇટ’ અને 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ’ની ચોરોચોરી ગયા છે. ચોરીની આ ઘટનાઓ અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સુરક્ષિત સ્થાન પર બની હતી અને પોલીસ દળ સહિત કોઈને પણ તેનો ખ્યાલ જ નહતો.

3,800 ‘વાંસની લાઇટ’ અને 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ’ની ચોરી

અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ હેઠળ યશ એન્ટરપ્રાઈઝ અને ક્રિષ્ના ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા રામપથના વૃક્ષો પર 6,400 ‘વાંસની (બામ્બુ) લાઈટો’ અને ભક્તિપથ પર 96 ‘ગોબો પ્રોજેક્ટર’ લાઈટો લગાવવામાં આવી હતી. ફર્મના પ્રતિનિધિ શેખર શર્માના જણાવ્યા અનુસાર, રામપથ અને ભક્તિપથ પર લગાવવામાં આવેલી 3,800 ‘બામ્બુ લાઇટ’ અને 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ’ ચોરાઈ ગઈ છે. તેમના દ્વારા રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

મે મહિનામાં ચોરીની જાણ થઈ હતી

પોલીસને આપેલી ફરિયાદ મુજબ, “રામપથ પર 6,400 વાંસની લાઈટો લગાવવામાં આવી હતી અને ભક્તિ પથ પર 96 ગોબો પ્રોજેક્ટર લાઈટો લગાવવામાં આવી હતી. 19મી માર્ચ સુધીમાં તમામ લાઈટો લગાવી દેવામાં આવી હતી, પરંતુ 9મી મેના રોજ ઈન્સ્પેક્શન કર્યા બાદ કેટલીક લાઈટો ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે ચોરો દ્વારા લગભગ 3,800 વાંસની લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરી કરવામાં આવી હતી. નોંધાયેલી ફરિયાદ મુજબ, એવું સ્વીકારવામાં આવ્યું હતું કે પેઢીને આ ચોરીની જાણ મે મહિનામાં થઈ હતી, પરંતુ ચોરીના બે મહિના પછી 9 ઓગસ્ટે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રામ મંદિરના નિર્માણ બાદ મલાલા મંદિર તરફ જતા રામ પથ અને ભક્તિ પથ પર મોટી સંખ્યામાં લાઈટો લગાવવામાં આવી હતી. રાત્રે લાઇટો ચાલુ હોય ત્યારે રોડનો નજારો ખૂબ જ સુંદર બની જાય છે. જ્યાંથી આ લાઈટની ચોરી થઈ છે તે વિસ્તાર ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે.

આ પણ વાંચો : ગાંધીનગરની સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવા ગયેલા ત્રણ લોકો ડૂબ્યાં

Back to top button