મનોરંજન

‘Bawaal’ના શૂટિંગ દરમિયાન વરુણે જ્હાન્વી કપૂર સાથે કર્યું આવું વર્તન, અભિનેતાએ જ કર્યો ખુલાસો

Text To Speech

વરુણ ધવન અને જાહ્નવી કપૂર ફિલ્મ બાવળને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન, હવે વરુણે તેના ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે શૂટિંગ શરૂ થયા પછી તેણે પહેલા એક મહિના સુધી જ્હાન્વી સાથે વાત કરી નહોતી. અભિનેતાએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે.વરુણ ધવન અને જાહ્નવી કપૂર આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ બવાલને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર અને એક ગીત રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

બાવાલ'નું ટ્રેલર થયું રિલીઝ, ફિલ્મમાં વરુણ અને જ્હાનવી કપૂરની શાનદાર

આવી સ્થિતિમાં હવે બંને સ્ટાર્સ પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તે દરમિયાન, હવે વરુણે તેના ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે શૂટિંગ શરૂ થયા પછી તેણે પહેલા એક મહિના સુધી જ્હાન્વી સાથે વાત કરી નહોતી.એક ઈન્ટરવ્યુમાં વરુણ ધવને કહ્યું કે, પહેલા એક મહિના સુધી અમે સેટ પર જતા હતા અને મેં તેની સાથે વધુ વાતચીત ન કરી. કારણ કે મને લાગતું હતું કે અમે ખૂબ જ ઝડપથી મિત્રો બની જઈશું. અભિનેતાએ વધુમાં કહ્યું કે, હું દરેક સાથે વાત કરતો હતો અને જાણી જોઈને તેની સાથે વાત નહોતો કરતો. નિતેશ સરને ખબર પડી અને 20 દિવસ પછી અમે વાત કરી હતી.

આ પણ વાંચો : શિલ્પાએ સલમાન અને તેના સબંધોનો કર્યો ખુલાસો અભિનેત્રીએ કહ્યું સલમાન મોડી રાત્રે મારા ઘરે આવતો….

Back to top button