સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાનો આ બેટર ક્યારેય પરત નહીં ફરે, છેલ્લા 7 વર્ષથી ટીમમાં નથી

Text To Speech

મનોજ તિવારી ટીમ ઈન્ડિયાઃ ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી પામવી જેટલી મુશ્કેલ માનવામાં આવે છે. તેના કરતાં અનેકગણી વધારે મુશ્કેલ ટીમમાં પરત ફરવું છે. આજના સમયમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે ઘણાં મોટા દાવેદાર છે. અમે તમને એવા જ એક ભારતીય ખેલાડી વિશે વાત કરીશું જેને છેલ્લા 7 વર્ષથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. આ ખેલાડી તેની ઝડપી બેટિંગ માટે પણ જાણીતો છે.

7 વર્ષથી ટીમ ઈન્ડિયામાં તક નથી મળી
ભારતીય ક્રિકેટમાં એવા ઘણાં ખેલાડીઓ છે, જેઓ ટીમ ઈન્ડિયામાંથી થોડા જ સમય માટે બહાર થઈ ગયા અને ક્યારેય પાછાં ફરી શક્યા નથી. આ યાદીમાં બંગાળના ક્રિકેટર મનોજ તિવારીનું નામ પણ સામેલ છે. મનોજે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો ન હતો. મનોજ તિવારી હાલમાં બંગાળની મમતા સરકારમાં રમત-ગમત મંત્રી છે. આજના યુગમાં જ્યારે આવા યુવા ખેલાડીઓ ટેલેન્ટથી ભરપૂર છે, ત્યારે આ ખેલાડી માટે ટીમમાં વાપસી કરવી અશક્ય છે.

ફાઈલ ફોટો

ટીમ ઈન્ડિયામાં મનોજ તિવારીનું પ્રદર્શન
મનોજ તિવારીએ 2008માં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં મનોજ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે 12 ODI અને 3 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમના પ્રદર્શનની વાત કરવામાં આવે તો, તેમણે વનડેમાં 26.09ની એવરેજથી 287 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને અડધી સદી સામેલ છે. 50 ઓવરના ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 104 હતો. T20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો, તેણે 15ની એવરેજથી 5 રન બનાવ્યા છે. તેની છેલ્લી મેચ વર્ષ 2015માં રમી હતી.

ફાઈલ ફોટો

મનોજ તિવારીનો IPLની સફર
મનોજ તિવારીનો આઈપીએલમાં પણ સારો રેકોર્ડ છે. તેણે 98 મેચમાં 28.72ની એવરેજથી 1,695 રન બનાવ્યા છે. તેના નામે 7 અર્ધસદી છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 75* હતો. આ ટુર્નામેન્ટમાં તે કોલકાતા નાઈટ રાઈડર્સ, રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ અને કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ તરફથી રમી ચૂક્યો છે.

Back to top button