ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, જાણો ક્યારે છે કમોસમી વરસાદની આગાહી


- મહારાષ્ટ્રમાં મુંબઈની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ
- રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે
- ભરૂચ અને કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે
ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. ત્યારે અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં તાપમાન 38-40 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગ પ્રમાણે, રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત ઘણાં જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે હતું. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
મહારાષ્ટ્રમાં મુંબઈની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ
બીજી તરફ મહારાષ્ટ્રમાં મુંબઈની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે. જેના પગલે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 29મી માર્ચ બાદ રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. જો આ સિસ્ટમમ મજબૂત બનશે તો સૌરાષ્ટ્ર- કચ્છ, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના સંકેત છે.
ભરૂચ અને કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે
30મી માર્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં હવામાન બદલાશે. 31મી માર્ચ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલ અને ભરૂચ અને કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.