ટ્રેન્ડિંગનેશનલ

યુવક પોતાની જ પત્નીનો બની ગયો દીકરો, સાત વર્ષ બાદ પડી ખબર, જાણો સમગ્ર મામલો

લખનૌ, 8 જુલાઇ : લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડા અને પ્રેમી સાથે ભાગી જવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ યુપીના બદાયું જિલ્લામાંથી પ્રકાશમાં આવેલો કિસ્સો સાંભળીને તમે ચોંકી જશો. વાસ્તવમાં એક મહિલાના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. લગ્નના એક વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ આ દરમિયાન મહિલા અચાનક ગાયબ થઈ ગઈ. મહિલાના પતિએ તેની પત્નીની ઘણી શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. થોડા દિવસો બાદ મહિલાના સસરા પણ અચાનક ગુમ થઈ ગયા હતા. મહિલાના પતિને ખબર ન હતી કે સસરા અને પુત્રવધૂએ એકબીજા સાથે લગ્ન કર્યા છે. સાત વર્ષ બાદ આ વાતનો ખુલાસો થયો ત્યારે યુવકનું માથું ભમી ગયા જેવી હાલત થઈ હતી. યુવક તેની જ પત્નીનો પુત્ર બની ગયો હતો. ત્યારબાદ યુવકે પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેનો પતિ સગીર હતો. અને તેના પતિ સાથે અવારનવાર ઝગડા થતાં હતા. જેના કારણે તે તેના સસરા સાથે ભાગી ગઈ હતી. આ પછી બંનેએ લગ્ન કરી લીધા અને ચંદૌસીમાં રહેવા લાગ્યા. મહિલાએ જણાવ્યું કે હવે તેને એક પુત્ર પણ છે. મહિલાનું કહેવું છે કે તે સાત વર્ષ પહેલા થયેલા લગ્નને સ્વીકારતી નથી અને તેના સસરા સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. બંને પોતપોતાની મરજી મુજબ લગ્ન કર્યા છે. પોલીસે તેમની વાત સાંભળીને બંનેને છોડી મૂક્યા હતા.

પુત્ર તેની પત્ની અને પછી પિતાને શોધતો રહ્યો.

અહેવાલો અનુસાર, આખો મામલો બદાયું જિલ્લાના દાબતોરી ચોકી વિસ્તારનો છે. અહીં રહેતા એક યુવકે પોલીસને જણાવ્યું કે 2016માં તેના લગ્ન વજીરગંજની એક યુવતી સાથે થયા હતા. એક વર્ષ પછી તેની પત્ની અચાનક ગુમ થઈ ગઈ. તે થોડા દિવસો સુધી તેની પત્નીને શોધતો રહ્યો, તે દરમિયાન તેના પિતા પણ અચાનક ગુમ થઈ ગયા. લાંબા સમય સુધી બંનેની શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો મળ્યો ના હતો. થોડા દિવસો પછી, જ્યારે તેને માહિતી મળી કે તેના પિતા અને પત્ની ચંદૌસીમાં છે, તો તેણે બિસૌલી પોલીસને જાણ કરી. પોલીસે બંનેને શોધી કાઢી તપાસ શરૂ કરી હતી. સસરાએ પુત્રવધૂ સાથે લગ્ન કર્યા હતા.

બંને એક રૂમમાં સાથે રહેતા હતા. પોલીસે બંનેને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું કે તેણે આવું કેમ કર્યું તો તેણે ચોંકાવનારો જવાબ આપ્યો. મહિલાએ જણાવ્યું કે જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેનો પતિ સગીર હતો, તે ન તો ભણ્યો હતો કે ન તો કોઈ કામ કરતો હતો. દરમિયાન તેણી તેના સસરાના પ્રેમમાં પડી હતી અને તેમની સાથે ભાગી ગઈ હતી. બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા અને સાથે રહેવા લાગ્યા હતા. બંનેને બે વર્ષનો પુત્ર પણ છે. બંને પોતપોતાના જીવનમાં ખુશ છે. મહિલાએ કહ્યું કે જો તેના સસરા સાથે લગ્નના સમાચાર વિસ્તારમાં ફેલાઈ ગયા હોત તો તેની ઘણી બદનામી થઈ હોત, આ ડરથી તે ચંદૌસીમાં રહેવા લાગી.

આ પણ જુઓ: સંદેશખલી કેસમાં મમતા સરકારને SCનો આંચકો: CBI તપાસ ચાલુ રહેશે

Back to top button