ગુજરાત

ભારતીય નૌકાદળના બે જહાજો INS નિશંક અને INS અક્ષયને આપવામાં આપશે વિદાય

Text To Speech

ભારતીય નૌકાદળના બે જહાજો INS નિશંક અને INS અક્ષયને વિદાય આપવામાં આપશે. બન્ને જહાજોની 32 વર્ષની રાષ્ટ્રીય સેવાની કારકિર્દી પછી તેને વિદાય આપવામાં આવી રહી છે.  આવતીકાલે મુંબઈમાં ડોકયાર્ડ ખાતે અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

અનેક સમુદ્રી યોધ્ધાઓના સાક્ષી રહી ચુકેલા બન્ને નૌકાદળના જહાજો હંમેશા માટે સન્માન અને ગૌરવનો પ્રેરણાસ્ત્રોત બની રહેશે. સોવિયેત સંઘના પોટી શિપયાર્ડમાં રચાયેલા અને એકદમ ઠંડા તાપમાનમાં કાર્યરત જહાજોને મુંબઈના ઉષ્ણ કટિબંધીય તાપમાનમાં નિવૃત્ત કરશે અને ત્યારે બંને જહાજોના તમામ ભૂતપૂર્વ ખાલાસીઓથી માંડીને કેપ્ટનની લાગણીઓ જોડાશે.

Back to top button