ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા પણ મોત વધ્યા, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 260 કેસ નોંધાયા, 3 ના મોત

Text To Speech

ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા ઘણા દિવસોથી દરરોજના 200થી 300 લગોલગ ચાલી રહ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 260 કેસ નોંધાયા છે. જ્યારે 356 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ  અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે કોરોનાથી રાજ્યમાં 3 વ્યક્તિના મોત નિપજ્યા છે. આજે અમદાવાદમાં સૌથી વધુ 81 કેસ નોંધાયા છે.

corona
corona

ક્યાં જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદમાં 81 કેસ 01 મૃત્યુ, સુરતમાં 29, વડોદરા જિલ્લામાં 23, વડોદરામાં 23, મહેસાણા 10, સુરત જિલ્લામાં 07, ભરૂચમાં 06, વલસાડમાં 06, ગાંધીનગરમાં 05, રાજકોટમાં 05, કચ્છમાં 04, મહીસાગરમાં 04, રાજકોટમાં 04, સાબરકાંઠામાં 04, સુરેન્દ્રનગરમાં 04, બનાસકાંઠામાં 03, ભાવનગરમાં 03, ગાંધીનગરમાં 03, જામનગરમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, આણંદમાં 02, નવસારીમાં 02, અમરેલીમાં 01, દાહોદમાં 01, ગીર સોમનાથમાં 01, જૂનાગઢમાં 01, ખેડામાં 01 અને  પંચમહાલમાં 01 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો : ‘ધોની રિવ્યૂ સિસ્ટમ’ સામે અમ્પાયરો નિષ્ફળ ગયા, માહીની ચપળતા સામે સૂર્યકુમાર પેવેલિયન ભેગો થયો

Back to top button