ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવારમાં આપી ભેટ

Text To Speech

રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દિવાળીનો તહેવાર ઉલ્લાસમય રીતે ઉજવી શકે તે આશયથી રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીના તહેવારો માટે વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલ રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: PM મોદી ગુજરાતના આ જિલ્લાઓને આપશે રૂ.2083 કરોડના વિકાસકાર્યોની ભેટ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ની અવધિ લંબાવાઈ

રાજયના ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીમાં વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલનું રાહત દરે વિતરણ કરાશે તેમજ પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે. તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ની અવધિ ડિસેમ્બર 2022 માસ સુધી લંબાવાઈ છે. જેમાં 7 લાખ N.F.S.A.રેશનકાર્ડ ધારકોને લાભ થશે. મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ગરીબ મધ્યમ પરિવારને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે જેનું વિતરણ હાલ કરવામાં આવી રહ્યું છે.

રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ 1 કિલો વધારાની ખાંડનું વિતરણ

હાલ દિવાળીનાં તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ મળી 32 લાખ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ 1 કિલો વધારાની ખાંડનું વિતરણ અનુક્રમે રૂા. 15 અને રૂા.22 પ્રતિ કિલોનાં ભાવથી વિતરણ કરવામાં આવે છે. તેમજ તમામ 71 લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે પ્રતિ કુટુંબ 1 લીટર સીંગતેલ રૂા.100/-ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : પાલનપુર : રૂ. 1000 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર ડીસા એરબેઝનું આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમૂર્હત

71 લાખ N.F.S.A.રેશનકાર્ડ ધારકોને લાભ થશે

ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” ની અવધિ ત્રણ માસ એટલે કે ડિસેમ્બર 2022 માસ સુધી લંબાવાઈ છે. આ યોજના હેઠળ માહે ઑક્ટોબર-2022 માસ માટે 71 લાખ N.F.S.A.રેશનકાર્ડ ધારકોને રેગ્યુલર મળવાપાત્ર અનાજ ઉપરાંત પ્રતિ વ્યક્તિ 1 કિ.ગ્રા. ઘઉં તથા 4 કિ.ગ્રા. ચોખામળી કુલ 5 કિ.ગ્રા. અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ તા.15/10/2022થી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારની સુચના મુજબ રાહતદરનું વિતરણ અને વિનામુલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે.

Back to top button