ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં શ્રાવણ માસ દરમ્યાન આ વસ્તુઓના ભાવમાં થયો વધારો

Text To Speech
  • બફવડા, સાબુદાળાના વડા, ખીચડીનો ભાવ વધ્યો
  • શહેરમાં પણ બીલીપત્રનો ભાવ વિસ્તાર પ્રમાણે ચાલે છે
  • બીલીપત્ર, ફૂલ, દૂધ, ફરાળી વાનગીઓના ભાવ આસમાને

અમદાવાદમાં શ્રાવણ માસ દરમ્યાન કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. જેમાં બીલીપત્ર, ફૂલ, દૂધ, ફરાળી વાનગીઓના ભાવ આસમાને પહોંચ્યા છે. દૂધના વેચાણમાં 15%, ફરાળી વાનગીમાં રૂ.46થી 60નો વધારો થયો છે. 600 કિલો બીલીપત્રનું વેચાણ થયુ છે. તેમજ ફૂલ 300થી 500 રૂપિયા કિલો વેચાયા છે. શહેરમાં પણ બીલીપત્રનો ભાવ વિસ્તાર પ્રમાણે ચાલે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા જાણો કયા આવશે ભારે વરસાદ 

અમદાવાદના મોટા મંદિરોમાં અંદાજે રોજના 600 કિલોથી વધુ બીલીપત્રો ચડાવવામાં આવે છે

શ્રાવણ માસ દરમ્યાન અમદાવાદના મોટા મંદિરોમાં અંદાજે રોજના 600 કિલોથી વધુ બીલીપત્રો ચડાવવામાં આવે છે. શહેરમાં પણ બીલીપત્રનો ભાવ વિસ્તાર પ્રમાણે ચાલે છે. પૂર્વ વિસ્તારમાં એક જુડીના દસ રૂપિયાથી લઈને 30 રૂપિયા તો પશ્ચિમ વિસ્તારમાં 30 રૂપિયાથી લઈને 100 સુધીના ભાવે વેચાય છે. એજ રીતે ધતૂરાના ફૂલો પણ 10 રૂ.થી લઈને 20 અને 30 સુધીના ભાવે વેચાય છે. શહેરમાં કેટલાય મંદિરોમાં મોટા ભક્તો એક સાથે ઢગલાબંધ બીલીપત્રો- ધતુરાના ફુલો ખરીદી લે છે.

શહેરના હોલસેલ ફૂલ બજારમાં ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે

બિલિપત્ર,ધતુરાના ફૂલોની માંગ સાથે અમદાવાદ સહિતના મોટા શહેરના હોલસેલ ફૂલ બજારમાં ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. સિઝનના કારણે સામાન્ય દિવસોની સરખામણીમાં ફૂલના ભાવ હાલ ઉંચકાયા છે. ગુલાબ સહિતના ફુલો પ્રતિ કિલો 100ની આસપાસ હતા તે હાલ 300થી 500 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. શિવજીને અભિષેક કરવામાં આવતા દૂધના વેચાણમાં 10-15%નો વધારો થયો છે. ગુજરાતમાં સામાન્ય દિવસોમાં રોજનું 70-80 લાખ લિટર દૂધ વેચાય છે. સામાન્ય દિવસોમાં બફવડા, સાબુદાળાના વડા, ખીચડી રૂ.300 થી 325 કિલો મળતા હતા. જે આજે રૂ.360થી 380 કિલો મળી રહ્યા છે.

Back to top button