ગુજરાતટોપ ન્યૂઝ

મહેસુલ વિભાગ દ્વારા 30 મામલતદારની બદલીના આદેશ, મોટાભાગે ડિઝાસ્ટરમાં મુકાયા

Text To Speech

ગાંધીનગર, 1 જુલાઈ : રાજ્ય સરકારે આજે સોમવારે મોડી સાંજે 30 મામલતદારની બદલીઓના આદેશ કર્યા છે. ગુજરાત રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં ચોમાસાની શરુઆત થતા જિલ્લાઓમાં ડીઝાસ્ટરની ખાલી જગ્યાઓ પણ બદલીથી ભરાઈ છે.

રાજ્યના કેટલાક જિલ્લાના મામલતદારોની બદલી કરવા સાથે કેટલીક મહત્વની કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલીઓ કરી છે. ખેડા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, મોરબી, રાજકોટ, વડોદરા સહિતના અનેક જિલ્લાના મામલતદારોની બદલી કરવામાં આવી છે.

Back to top button