ડૉ. મનમોહન સિંહને આજે અપાશે અંતિમ વિદાય, ટ્રાફિક એડવાઇઝરી જાહેર
નવી દિલ્હી, તા. 28 ડિસેમ્બર, 2024: ડૉ. મનમોહન સિંહે ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાનને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી.
તમામ રાજકીય પક્ષોના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ ડૉ. સિંહને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ બધાએ સિંહની પત્ની ગુરશરણ કૌર અને પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી.
#WATCH | Delhi: Visuals from the Congress Party office where the mortal remains of Late Former PM Dr Manmohan Singh will be kept at 8:30 am for the party workers to pay their last respects.
After that last rites will take place as per the family rituals. pic.twitter.com/VLZZNR1nQO
— ANI (@ANI) December 28, 2024
ટ્રાફિક એડવાઇઝરી
દિલ્હી ટ્રાફિક પોલીસે શનિવારે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પહેલા ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. દિલ્હીના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝન વિશે માહિતી આપી છે. લોકોને ભીડ ઘટાડવા માટે અમુક રસ્તાઓ ટાળવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
ટ્રાફિક એડવાઇઝરી અનુસાર, 28 ડિસેમ્બરે ડૉ. મનમોહન સિંહના રાજકીય અંતિમ સંસ્કારના અવસરે ઘણા વિદેશી મહાનુભાવ, વીઆઈપી/વીવીઆઈપી અને સામાન્ય લોકો નિગમ બોધ ઘાટની મુલાકાત લેશે. રાજા રામ કોહલી માર્ગ, રાજઘાટ રેડ લાઇટ, સિગ્નેચર બ્રિજ અને યુધિષ્ઠિર સેતુ જેવા સ્થળોએ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી રિંગ રોડ, નિષાદ રાજ માર્ગ, એસપીએમ માર્ગ, લોથિયન રોડ અને નેતાજી સુભાષ માર્ગ પર ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝનની શક્યતા છે.
દિલ્હી ટ્રાફિક પોલીસે મુસાફરોને આ રસ્તાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત જૂની દિલ્હી રેલવે સ્ટેશન, ISBT, લાલ કિલ્લો, ચાંદની ચોક અને તીસ હજારી કોર્ટ જનારા મુસાફરોને સમય કાઢીને બહાર જવાની સલાહ આપવામાં આવી છે. ટ્રાફિકની ભીડને ઘટાડવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. વાહનોને નિર્ધારિત પાર્કિંગ સ્થાનો પર જ પાર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી અને મનમોહન સિંહમાંથી કોણ શ્રેષ્ઠ વડાપ્રધાન? આ રહ્યા આંકડા