ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

નોન ક્રિમીલેયરની મર્યાદા વધારવા મહારાષ્ટ્ર સરકારની કેન્દ્ર પાસે માંગ, જાણો કેટલી કરવા વિનંતી કરી

Text To Speech

મુંબઈ, 10 ઓક્ટોબર : મહારાષ્ટ્ર કેબિનેટે ગુરુવારે કેન્દ્ર સરકાર પાસે નોન ક્રિમીલેયરની શરત 8 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની માંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્યમાં આગામી મહિને ચૂંટણી છે.

મહત્વનું છે કે, પછાત વર્ગ કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા માટે, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર જરૂરી છે. જેના દ્વારા નક્કી કરવામાં આવે છે કે વ્યક્તિની પારિવારિક આવક નિર્ધારિત મર્યાદા કરતા ઓછી છે. હાલમાં આ મર્યાદા આઠ લાખ રૂપિયા છે. મહારાષ્ટ્ર સરકાર આને વધારીને 15 લાખ કરવા માંગે છે.

મુખ્યમંત્રી શિંદેના કાર્યાલયમાંથી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્ર રાજ્ય અનુસૂચિત જાતિ આયોગને બંધારણીય દરજ્જો આપવા માટેના ડ્રાફ્ટ વટહુકમને પણ મંજૂરી આપવામાં આવી છે. આ વટહુકમને વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે, તેમાં કહેવામાં આવ્યું છે કે, કમિશન માટે 27 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.

કેબિનેટના અન્ય નિર્ણયોમાં, કેબિનેટે પત્રકારો અને અખબાર વિક્રેતાઓ માટે કલ્યાણ નિગમની સ્થાપનાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. હિંગોલી જિલ્લામાં બાળાસાહેબ ઠાકરે હળદર સંશોધન કેન્દ્ર માટે રૂ. 709.27 કરોડના વધારાના ભંડોળને મંજૂરી આપવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી નિશ્ચિત માનવામાં આવે છે. મુખ્ય ચૂંટણી કમિશનર જેઓ તાજેતરમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે વિધાનસભાની મુદત પૂરી થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયાને સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈશું.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં બે ગઠબંધન વચ્ચે ચૂંટણી યોજાવાની છે. સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં ભાજપ અને શિવસેના એકનાથ જૂથ અને NCP અજિત પવાર જૂથનો સમાવેશ થાય છે. જ્યારે મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં શિવસેના ઉદ્ધવ જૂથ, એનસીપી શરદ પવાર જૂથ અને કોંગ્રેસ સામેલ છે.

આ પણ વાંચો :- દિલ્હીમાંથી વધુ રૂ.2 હજાર કરોડનું કોકેઇન જપ્ત કરાયું

Back to top button