મનોરંજન

‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવનાર ટીવી એક્ટ્રેસની તબિયત લથડી, આ વાયરસથી થઈ સંક્રમિત

Text To Speech

અભિનેત્રી દેબીના બેનર્જી વિશે એક ચિંતાજનક સમાચાર મળા રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અભિનેત્રીની તબિયત ખરાબ છે, તે ઈન્ફ્લુએન્ઝા બી વાયરસથી સંક્રમિત થઈ છે. જેથી હાલ તેના પરિવરથી દૂર છે. અને સારવાર લઈ રહી છે.

દેબીના બેનર્જી ઈન્ફ્લુએન્ઝા બી વાયરસની ઝપેટમાં

પ્રખ્યાત ટીવી અભિનેત્રી દેબીના બેનર્જી ઈન્ફ્લુએન્ઝા બી વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. અભિનેત્રીના પ્રવક્તાએ આ માહિતી આપી છે. દેબિના થોડા સમય પહેલા જ તેના પરિવાર સાથે શ્રીલંકા ગઈ હતી. અને ત્યાં તેઓએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી. તેમજ તેમના લગ્નની વર્ષગાંઠ પણ ઉજવી હતી અને શ્રીલંકા ફર્યાના થોડા દિવસોમાં જ તેની તબિયત ખરાબ થઈ હતી. જે બાદ તપાસ કરાવવતા જાણવા મળ્યુ કે તે ઈન્ફ્લુએન્ઝા બી વાયરસથી સંક્રમિત હતી. જો કે, દેબીનાના પતિ અભિનેતા ગુરમીત ચૌધરી અને તેની બે પુત્રીઓ લિયાના અને દિવિશાને આ વાયરસનો ચેપ લાગ્યો નથી. માહિતી.

દેબિના બેનર્જી-humdekhengenews

 દેબીનાની તબિયતમાં સુધારો

દેબિનાના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ‘દેબીનાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તે પોતાની ખૂબ કાળજી લઈ રહી છે અને ખાવા પીવાનું પણ ખૂબ ધ્યાન રાખી રહી છે. તે તેમના બાળકોથી દૂર રહીને તેમની સંભાળ લઈ રહી છે અને ટૂંક સમયમાં સ્વસ્થ થઈને ફરી પાછી આવશે.

દેબિના બેનર્જી-humdekhengenews

દેબિનાએ આ જાણીતા ટીવી શોમાં કર્યું છે કામ

આ દિવસોમાં દેબિના નાના પડદાથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આ અભિનેત્રીની ફેન ફોલોઈંગ ઘણી સારી છે. તેની બિમારીના સમાચારથી ચાહકોની ચિંતા જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે દેબીનાએ આહત, ઝૂ, યમ હૈ હમ, સંતોષી મા સહિત ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. તેમજ. ‘રામાયણ’માં સીતા માતાની ભૂમિકા ભજવીને તે ઘર-ઘરમાં પ્રખ્યાત થઈ ગઈ હતી.

આ પણ વાંચો : ‘પુષ્પા’ના ચાહકોની પ્રતીક્ષાનો અંત, ‘પુષ્પા 2’ નો પહેલો લૂક અભિનેતાના જન્મદિવસે જ રજૂ કરાશે

Back to top button