ટ્રેન્ડિંગયુટિલીટીવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

સરકારી એજન્સીએ જારી કરી ચેતવણી, કયા યુઝર્સને તેમના ફોન પર છે હેકર્સનો ખતરો?

  • શું તમે તમારો ફોન અપડેટ કર્યો? ના કર્યો હોય તો કરી લેજો, નહીંતર તમે પણ હેકર્સના શિકાર બની જશો

ઘણા લોકો તેમના ફોન અને અન્ય ઉપકરણોને સમયસર અપડેટ કરતા નથી. આમ ન કરવાથી તમારું ઉપકરણ જોખમમાં આવી શકે છે. કેમકે હેકર્સ આ ઉપકરણોમાં ખામીઓ શોધીને વપરાશકર્તાઓને નિશાન બનાવે છે. iOS અને iPad OS માં પણ આવી જ ખામી જોવા મળી છે. આ માટે સરકારી એજન્સી CERT-In એ Apple વપરાશકર્તાઓને નવીનતમ OS પર અપડેટ કરવાની સલાહ આપી છે.

હેકર્સ હંમેશા જલ્દી હાથમાં આવી જતા લોકોની શોધમાં જ હોય છે. એવામાં જો તમે તમારો ફોનને અપડેટ નથી કર્યો અને હજી તમારો ફોન જૂના OS વર્ઝન પર કામ કરે છે, તો તમે પણ હેકિંગનો શિકાર બની શકો છો. CERT-In (કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) એ Apple વપરાશકર્તાઓ માટે ચેતવણી જાહેર કરી છે, જેમાં એક ખામીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચેતવણીનો ઉલ્લેખ 14 ઓક્ટોબર 2023ના રોજ જારી કરાયેલી નબળાઈ નોંધ CIVN-2023-0303માં કરવામાં આવ્યો છે. આ નોંધમાં, Apple iOS અને iPad OS માં હાજર નબળાઈઓની વિગતો આપવામાં આવી છે.

CERT-in શું છે?

CERT-In એ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળની એક એજન્સી છે. સાદી ભાષામાં કહીએ તો આ સરકારી એજન્સીનું કામ સાયબર સિક્યોરિટીને લગતી બાબતોનો સામનો કરતી એજન્સી છે.

આ એજન્સી ઈન્ટરનેટ સાથે જોડાયેલી તમામ બાબતો પર સતત નજર રાખે છે, જેની મદદથી લોકોને સમયસર કોઈપણ ખતરાની જાણકારી આપી શકાય છે. તેની તાજેતરમાં બહાર પાડવામાં આવેલી નોંધમાં, CERT-In એ વપરાશકર્તાઓને જૂના iOS અને iPad OS વિશે ચેતવણી આપી છે.

CERT-In એ શું કહ્યું છે ?

સમયસર સોફટવેર અપડેટ ન કરવાના કારણે પણ હેકર્સ દૂરસ્થ રીતે લક્ષ્યાંકિત ઉપકરણ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. iOS અને iPadOS માં હાજર નબળાઈઓનો લાભ લઈને હેકર્સ લક્ષિત ઉપકરણના રિમોટ એક્સેસ માટે છુપાયેલ વિનંતી કરી શકે છે. જો તમારા iPhone અથવા iPad ની ઓપરેટિંગ સિસ્ટમ 16.7.1 કરતા પહેલાની છે, તો તમને જોખમ છે.

આ જોખમાં ન આવવું હોય તો તમારે પણ તમારા ઉપકરણને અપડેટ કરવું જોઈશે. આ મામલે CERTએ યુઝર્સને લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ કરવા કહ્યું છે. એપલે આ ખામીઓને દૂર કરવા માટે પહેલાથી જ સુરક્ષા અપડેટ બહાર પાડ્યું છે. સમયસર અપડેટ ન મળવાનો અર્થ છે કે તમે જોખમમાં ફોનનો ઉપયોગ કરી રહ્યા છો.

સિસ્ટમ અપડેટના ફાયદા

ઑપરેટિંગ સિસ્ટમ અપડેટ કર્યા પછી, ઉપકરણમાંથી માત્ર ખામીઓ દૂર કરવામાં આવતી નથી. હકીકતમાં ફોનનું પરફોર્મન્સ પણ સારું થઈ જાય છે. કંપનીઓ OS અપડેટ્સમાં બગ ફિક્સ અને ઑપ્ટિમાઇઝેશન પણ કરે છે. આ સાથે તમને નવા ફીચર્સ પણ મળશે.

જો તમે કંપનીએ આપેલી સિસ્ટમને અપડેટ કરો છો તો તમારો ફોન કે કોઈ પણ ઉપકપણ પહેલાં કરતાં સારી રીતે કામ કરતો થઈ જશે. જેથી બધા વપરાશકર્તાઓએ સમયાંતરે ફોનને અપડેટ કરતા રહેવું જોઈએ. આમ તો ફોનનું કોઈ અપડેટ આવે તો તમને સુચના મળી જ જતી હોય છે, તેમ છતાં જો ન મળી હોય તો તમે સેટિંગ્સમાં જઈને નવીનતમ સોફ્ટવેર અપડેટ માટે તપાસ કરી શકો છો.

આ માટે તમારે સેટિંગ્સમાં જઈને સોફ્ટવેર અપડેટ સર્ચ કરવું પડશે. આ પછી તમારે લેટેસ્ટ અપડેટ માટે ચેક પર ક્લિક કરવાનું રહેશે. જો કોઈ અપડેટ બાકી છે, તો તમને અહીં માહિતી મળશે.

આ પણ વાંચો: Google Pixel 8 Proના ફેસ લોકમાં લોચા, યુઝર નારાજ

Back to top button