ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વિશ્વકપની પ્રથમ મેચ રમાશે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત

Text To Speech
  • ક્રિકેટ વિશ્વકપ 2023નો આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે
  • 7-DCP, 11 SP, 25 PI, 68 PSI બંદોબસ્તમાં
  • 1631 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે

ક્રિકેટ વિશ્વકપ 2023નો આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. તેમજ અમદાવાદમાં વિશ્વકપની પ્રથમ મેચ રમાશે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. DIG કક્ષાના અધિકારીને જવાબદારી સોંપાઇ છે. 7-DCP, 11 SP, 25 PI, 68 PSI બંદોબસ્તમાં રહેશે. 1631 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાંથી ચોમાસુ લેશે વિદાય, જાણો કયારથી ઠંડીની થશે શુભ શરૂઆત 

ક્રિકેટ વિશ્વકપ 2023નો આવતીકાલથી પ્રારંભ

અમદાવાદમાં વર્લ્ડ કપને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં વર્લ્ડ કપ દરમિયાન રાત્રે 10 વાગ્યા બાદ પણ મેટ્રોની સવારી પેસેન્જરો કરી શકશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવાયો છે. તેમાં તારીખ 5 ,10,14,19,ઓક્ટો. માં મેટ્રો ટ્રેન રાતે 1 વાગ્યા સુધી ચાલશે. ક્રિકેટ રસિકો માટે મેટ્રો રેલના સમયમાં મેચ સમયે ફેરફાર કર્યો છે.

અમદાવાદમાં રમાનાર તમામ મેચ ડે-નાઇટ મેચ રહેશે

આવતીકાલથી ક્રિકેટ વિશ્વકપ 2023નો પ્રારંભ થશે. જેમાં આજે વિશ્વ કપની ટ્રોફી સાથે ફોટો શૂટ કરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફોટોશૂટ કરાશે. તમામ 10 ટીમના કપ્તાન હાજર રહેશે. સચિન તેંડુલકર વૈશ્વિક એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો છે. સચિન તેંડુલકર વિશ્વકપની ટ્રોફી લઇ મેદાનમાં આવશે. આવતીકાલે ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. અમદાવાદમાં વર્લ્ડ કપને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો છે. રાત્રે મોડા સુધી મેટ્રો ટ્રેનની ચાલુ રહેશે. મેચના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી ટ્રેન ચાલુ રહેશે. વિશ્વકપની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદમાં રમાનાર તમામ મેચ ડે-નાઇટ મેચ રહેશે.

Back to top button