યુટિલીટીલાઈફસ્ટાઈલ

પોતાનાં કર્મચારીઓ માટે વર-કન્યા પણ શોધે છે આ કંપની, લગ્ન થતાં જ વધી જાય છે પગાર !

Text To Speech

તમિલનાડુમાં એક IT કંપની તેના કર્મચારીઓની નોકરી ની સાથે સાથે તેના કુટુંબ નિયોજનનું ધ્યાન રાખે છે. કંપની તેના અપરિણીત કર્મચારી માટે વર અને કન્યા પણ શોધે છે. લગ્ન બાદ કંપની પોતાના કર્મચારીનાં ઘરનું પણ ધ્યાન રાખે છે. સૌથી મહત્વની વાત એ છે કે, કર્મચારીઓને લગ્ન પછી તેમના પગારમાં વિશેષ વધારો મળે છે.

જી હા, આ વાત બીલકુલ સાચી છે. વૈશ્વિક ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રોવાઈડર શ્રી મુકમ્બિકા ઈન્ફોસોલ્યુશન્સ તેના અપરિણીત કર્મચારીઓને જીવન સાથી શોધવામાં મદદ કરે છે. કંપની તમિલનાડુમાં તેની મદુરાઈ શાખામાં તેના કર્મચારીઓને આ વિશેષ સુવિધા આપી રહી છે.

કંપનીની શરૂઆત 2006માં શિવકાશીથી થઈ હતી. આ પછી, 2010 માં, કંપનીએ મદુરાઈમાં પોતાનું બેઝ બનાવ્યું. કંપનીની વાર્ષિક આવક 100 કરોડ રૂપિયાની આસપાસ છે. કંપનીના CEO સેલ્વગણેશનું કહેવું છે કે તેઓ તેમના કર્મચારીઓને ખાસ ઑફર આપવામાં માને છે. સેલ્વગણેશ કહે છે કે શરૂઆતમાં તેમને તેમની કંપની માટે સ્ટાફની ભરતી કરવામાં સમસ્યા હતી. આ પછી તેણે પોતાના કર્મચારીઓને વિશેષ સુવિધાઓ આપવાનું શરૂ કર્યું. આ કારણે કંપનીનું પ્રદર્શન પણ ઘણું સારું રહ્યું છે. આ કારણે તેમના અને કર્મચારીઓ વચ્ચેના સંબંધો પરિવારના સભ્યો જેવા બની ગયા હતા. કંપનીના કર્મચારીઓ તેમને પોતાના મોટા ભાઈ માને છે. લગ્ન થતાં જ પગાર વધી જાય છે,

સેલ્વગ્નેશએ કહ્યું કે ઘણા દૂરના ગામડાઓમાંથી આવે છે અને તેની કંપનીમાં કામ કરે છે. આવી સ્થિતિમાં તેના માતા-પિતા ગામમાં રહે છે અને તેને લગ્ન માટે જીવનસાથી શોધવામાં મુશ્કેલી પડે છે. આવા કિસ્સાઓમાં, તેઓને એલાયન્સ મેકર્સ દ્વારા તેમના કર્મચારીઓ માટે વર અને કન્યા શોધવામાં મદદ કરવામાં આવે છે. આ પછી તમામ કર્મચારીઓ તેના લગ્નમાં જાય છે. આમ કંપની પોતાના કર્મચારીને ઘરની જેમ નિભાવ કરે છે.

Back to top button