ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓનો સેનાના વાહન પર હુમલો: કોઈ જાનહાનિ નહીં

Text To Speech

રાજૌરી, 26 ફેબ્રુઆરી : જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો છે.  આતંકીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો છે.  આ હુમલો સુંદરબની વિસ્તારમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલો બપોરે 1 વાગ્યાની આસપાસ થયો હતો. આતંકીઓએ સેનાના વાહન પર લગભગ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.  સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફાયરિંગ બાદ સેનાનું વાહન ખાડીમાં પડી ગયું હતું. આ પછી તરત જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે, અત્યાર સુધી સારી વાત એ છે કે કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.

આ પણ વાંચો :- શેખ હસીનાની સત્તા પલટ માટે જવાબદાર નેતા નવી પાર્ટી બનાવશે, વચગાળાની સરકારમાંથી આપ્યું હતું રાજીનામું

Back to top button