હાફિઝ સઈદનો વધુ એક સાથીદાર ઠાર, કરાચીમાં અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી

પાકિસ્તાન, 31 માર્ચ 2025 : પાકિસ્તાનમાં એક પછી એક અનેક આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. હવે કરાચીમાં હાફિઝ સઈદના વધુ એક નજીકના મિત્રની હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરી રહેલા અબ્દુલ રહેમાન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં તેણે જીવ ગુમાવ્યો હતો.
મળતી માહિતી મુજબ અબ્દુલ રહેમાન અહલ-એ-સુન્નત વાલ જમાતનો સ્થાનિક નેતા હતો. તે કરાચીમાં લશ્કર માટે ફંડ એકઠું કરતો હતો. તેના એજન્ટો આખા વિસ્તારમાંથી ફંડ લાવીને તેની પાસે જમા કરાવતા હતા, ત્યારબાદ તે હાફિઝ સઈદને ફંડ પહોંચાડતો હતો.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
પાકિસ્તાન આતંકવાદથી ત્રસ્ત છે
હાફિઝ સઈદના નજીકના મિત્ર પર આ હુમલો ત્યારે થયો જ્યારે તે તેના પિતા અને અન્ય લોકો સાથે હતો. આ હુમલામાં તેના પિતા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં અબ્દુલ રહેમાનનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી આતંકવાદથી પીડિત છે. એક તરફ BLA અને તહરીક-એ-તાલિબાન બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવી રહ્યા છે. બીજી તરફ એક પછી એક આતંકીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે. હાફિઝ સઈદના નજીકના મિત્રને નિશાન બનાવનાર વ્યક્તિને ન તો કોઈએ જોયો છે અને ન તો ઓળખ્યો છે.
ક્વેટામાં મુફ્તીની હત્યા કરવામાં આવી હતી
તાજેતરમાં જ જમીયત-ઉલેમા-એ-ઈસ્લામના મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈની ક્વેટામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નૂરઝઈને ક્વેટા એરપોર્ટ નજીક ગોળી વાગી હતી, જેમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
લશ્કરના સંસ્થાપક હાફિઝ સઈદનો વિશ્વાસુ
અબ્દુલ રહેમાન પહેલા લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર ઝિયા-ઉર-રહેમાન ઉર્ફે નદીમ ઉર્ફે કાતલ સિંધીને પંજાબ પ્રાંતના ઝેલમ વિસ્તારમાં ઠાર કરવામાં આવ્યો હતો. નદીમને લશ્કરના સંસ્થાપક હાફિઝ સઈદનો વિશ્વાસુ સહયોગી માનવામાં આવતો હતો. તે જમ્મુ-કાશ્મીરના પુંછ-રાજૌરી વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. તે 2000ની શરૂઆતમાં જમ્મુ ક્ષેત્રમાં ઘૂસી ગયો હતો અને 2005માં પાછો પાકિસ્તાન ગયો હતો.
આ પણ વાંચો : ગર્ભવતી મહિલાના પગ વચ્ચે ધાર્મિક વિધિના નામે ફટાકડો ફોડ્યો અને પછી જે થયું…