ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણા: રાહુલ ગાંધીએ રિક્ષામાં સવારી કરી ઓટો ડ્રાઇવરોની સમસ્યાઓ સાંભળી

Text To Speech
  • તેલંગાણામાં આજે ચૂંટણી પ્રચાર માટે છેલ્લો દિવસ, સાંજે પાંચ વાગ્યા સુધી કરી શકાશે પ્રચાર
  • રાહુલ ગાંધી વહેલી સવારે રિક્ષામાં સવારી કરતાં જોવા મળ્યા
  • તેલંગાણામાં 119 વિધાનસભા સીટો માટે 30 નવેમ્બરે મતદાન

તેલંગાણા, 28 નવેમ્બર: તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આજે (28 નવેમ્બર) અહીં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે, સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો જોર-શોરથી ચૂટણી પ્રચાર કરી રહ્યા છે, અનેક નેતાઓ મેદાને ઉતર્યા છે. એવામાં આજે વહેલી સવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ રિક્ષામાં સવારી કરતાં જોવા મળ્યા હતા.

 

રાહુલ ગાંધીએ ઓટો ડ્રાઈવરોની સમસ્યાઓ સાંભળી

તેલંગાણામાં ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે દરેક પક્ષો પોત-પોતાના પક્ષને જીત અપાવવા માટે ભારે પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યા સુધી જ કરી શકાશે. એવામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વહેલી સવારે (28 નવેમ્બર) તેલંગાણાના જ્યુબિલી હિલ્સ મતવિસ્તારમાં ઓટો ડ્રાઈવરો, ગીગ વર્કર્સ અને સફાઈ કામદારો સાથે વાતચીત કરી હતી.

 

વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ ઓટો ડ્રાઈવરો, ગીગ વર્કર્સ અને સફાઈ કામદારોની સમસ્યાઓ જાણી અને જો સરકાર બનશે તો સમસ્યાઓ હલ કરવાની ખાતરી આપી હતી. આ પહેલા પણ રાહુલ ગાંધીએ કુલીઓ, માછીમારો અને ટ્રક ડ્રાઈવરોને મળતા જોવા મળ્યા છે.

આ પણ વાંચો: બિહાર સરકારે શાળાઓમાં જન્માષ્ટમી, રક્ષાબંધન અને શિવરાત્રીની રજાઓ બંધ કરી

Back to top button