ટોપ ન્યૂઝનેશનલ

તવાંગ ક્લેશઃ ‘PM મોદી કોઈને નહીં છોડે, અમને ભારતીય સેના પર પૂરો વિશ્વાસ,’ તવાંગ મઠના મોન્કે ચીનને આપ્યો પડકાર

Text To Speech

અરુણાચલ પ્રદેશઃ તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણની ઘટના પર સતત ચર્ચા કરવામાં આવી રહી છે. આ વચ્ચે તવાંગ મઠે આ મામલે ભારતીય સેનાનું સમર્થન કર્યું છે. તવાંગ મઠના ભિક્ષુ લામા યેશી ખાવોએ કહ્યું- વડાપ્રધાન મોદી કોઈને નહીં છોડે. અમે ભારતીય સેનાનું સમર્થન કરીએ છીએ. તેમણે ચીનની સરકારને તવાંગના મુદ્દે ચેતવણી આપી છે.

તવાંગ મઠના મોન્ક લામે યેશી ખાવોએ વધુમાં કહ્યું કે- ચીનની સરકાર હંમેશા બીજા દેશના વિસ્તાર પર નજર રાખે છે અને આ સંપૂર્ણ રીતે ખોટું છે. તેમની નજર ભારતની જમીન પર પણ છે. જો તેઓ દુનિયામાં શાંતિ ઈચ્છે છે તો તેઓએ આવું ન કરવું જોઈએ.

ભારતીય સેના પર સંપૂર્ણ વિશ્વાસ
તવાંગ મઠના મોન્ક લામા યેશી ખાવોએ કહ્યું- વડાપ્રધાન મોદીની સરકાર અને ભારતીય સેના પર પુરો વિશ્વાસ છે. સરકાર અને ભારતીય સેના તવાંગને સુરક્ષિત રાખશે. 1962ના યુદ્ધ દરમિયાન પણ આ મઠના ભિક્ષુકોએ ભારતીય સેનાની મદદ કરી હતી. ચીની સરકારનો દાવો સંપૂર્ણ ખોટો છે કે તવાંગ એમનો વિસ્તાર છે. તવાંગ ભારતનું જ અભિન્ન અંગ છે.

Back to top button