બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અહીં નરાઈલના લોહાગરા વિસ્તારમાં હિન્દુઓના એક ઘર પર હુમલો કરવામાં આવ્યો. જ્યારે એક ઘરને આગ લગાવવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ એક મંદિરમાં પણ તોડફોડ કરી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ફરી હુમલો
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલો એક હિન્દુ યુવક દ્વારા કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ સાથે સંબંધિત છે. યુવાનોએ કરેલી પોસ્ટથી રોષે ભરાયેલા ટોળાએ હિંદુઓના ઘરો પર હુમલો કર્યો હતો. ફેસબુક પોસ્ટ કરનાર યુવકના ઘરમાં ટોળું ઘુસી ગયું હતું અને તેને આગ ચાંપી દીધી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ભીડને વિખેરવા હવામાં ફાયરિંગ કર્યું.
હજુ સુધી ધરપકડ કરી નથી
નરાઈલના પોલીસ અધિક્ષકે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.