

નવી દિલ્હી, 12 મે : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં ચોથા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેનેડિયન પોલીસની ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (આઈએચઆઈટી) એ જણાવ્યું હતું કે તેઓએ અમનદીપ સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને નિજ્જરની હત્યાના કાવતરાનો આરોપ મૂક્યો છે. કેનેડિયન પોલીસે જણાવ્યું હતું કે, આ ધરપકડ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભૂમિકા ભજવનારાઓને જવાબદાર ઠેરવવા માટે અમારી ચાલી રહેલી તપાસની પ્રકૃતિ દર્શાવે છે. IHITએ જણાવ્યું હતું કે બ્રામ્પટન, સરે અને એબોટ્સફોર્ડમાં રહેતો 22 વર્ષીય ભારતીય નાગરિક અમનદીપ સિંહ શસ્ત્રો-સંબંધિત આરોપોમાં ઓન્ટારિયોમાં પહેલેથી જ કસ્ટડીમાં હતો. અમનદીપ સિંહ હવે આ કેસમાં કરણ બ્રાર (22), કમલપ્રીત સિંહ (22) અને કરણપ્રીત સિંહ (28) સાથે ચોથો વ્યક્તિ છે. નિજ્જરની હત્યાના સંબંધમાં સમાન આરોપો હેઠળ તમામની ધરપકડ કરવામાં આવી છે.
Canadian Police arrest fourth suspect in Hardeep Nijjar killing case
Read @ANI Story | https://t.co/WfVh2ofNrO#Canada #HardeepSinghNijjar #India pic.twitter.com/tYfKAhyEkx
— ANI Digital (@ani_digital) May 12, 2024
નિજ્જરની કેનેડામાં ગુરુદ્વારાની બહાર હત્યા કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર ફાયરિંગમાં નિજ્જરનું મોત થયું હતું. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં તેનું નામ 40 અન્ય ‘નિયુક્ત આતંકવાદીઓ’ સાથે સામેલ હતું. હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડાનું માનવું છે કે તેની પાછળ ભારતનો હાથ છે. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું.