‘નશામાં’ પિતાએ માતા સાથે કર્યું ખરાબ વર્તન, દીકરાએ લાકડાનો ટુકડો ઉપાડી કર્યું એવું કે..


નાગપુર,૨૭ ફેબ્રુઆરી : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક યુવકે પોતાના જ પિતાની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુરુવારે એક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અંશુલ ઉર્ફે ગૌરવ બાબરાવ જયપુરકર નામના 19 વર્ષીય યુવકે તેની માતા સાથે ખરાબ વર્તન કરવાના ગુસ્સામાં તેના પિતાની હત્યા કરી દીધી. અંશુલની તેના પિતાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના નાગપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 50 કિમી દૂર કોંધાલી શહેરમાં બની હતી.
‘હું મારી માતા સાથે થયેલ દુર્વ્યવહાર સહન કરી શક્યો નહીં’
અધિકારીએ જણાવ્યું કે બુધવારે બપોરે ૧૧ વાગ્યાની આસપાસ, જ્યારે આરોપી અંશુલ, જે મિકેનિક તરીકે કામ કરે છે, તે બપોરના ભોજન માટે ઘરે ગયો હતો, ત્યારે તેના પિતા, ૫૨ વર્ષીય બાબરાવ મધુકર જયપુરકર, તેની માતા સાથે ગેરવર્તણૂક કરી. અંશુલ તેની માતા સાથે થયેલા દુર્વ્યવહારને સહન કરી શક્યો નહીં અને ગુસ્સામાં તેણે તેના પિતા પર હુમલો કર્યો. અધિકારીએ જણાવ્યું કે અંશુલે લાકડાનો ટુકડો ઉપાડ્યો અને તેના પિતાના માથા પર માર્યો, જેનાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
‘આરોપીના પિતા દારૂના ખૂબ જ વ્યસની હતા’
અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીએ પોલીસને જણાવ્યું કે તેના પિતા દારૂના ખૂબ જ વ્યસની હતા અને કોઈ કામ કરતા નહોતા. પોલીસે આ હત્યા કેસમાં ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ છે. બીજી એક ઘટનામાં, પુણેના કટરાજ વિસ્તારમાં એક યુવક પર હુમલો કરવા અને તેની બાઇક સળગાવવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેને બાઇક સાથે સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કોઈક રીતે ભાગી જવામાં સફળ રહ્યો. તેમણે કહ્યું કે આ ઘટના બુધવારે સાંજે બની હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Champions Trophy 2025: ઇબ્રાહિમ ઝદરાનની સદી પાકિસ્તાન માટે બની ભારે ‘અપમાન’
કોઈ મેકિંગ ચાર્જ નહીં, કોઈ GST નહીં – સોનામાં રોકાણ કરવાની આ રીત બહુ ઓછા લોકો જાણે છે
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં