AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. આપના નેતા ઈસુદાન ગઢવીની મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની સાથે આપના સરવેમાં એવું પણ જણાવવામાં આવ્યું છેકે, આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે 16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીશ્રી ભગવંત માનની મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ #LIVE https://t.co/xaVudoqVUb
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 4, 2022
આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે ગુજરાતની જનતાનો મત જાણીને ઇસુદાન ગઢવીના નામ ઉપર પસંદગી ઉતારી છે. ઇસુદાન ગઢવીના નામની જાહેરાત બાદ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનથી માંડીને ગોપાલ ઇટાલિયા તેમજ આપના કાર્યકર્તાઓએ ઇસુદાનને અભિનંદન પાઠવ્યા હતા
ખેડૂત નેતા અને 'આપ' નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી @isudan_gadhvi ને આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવા બદલ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
વિજય ભવ:#IsudanGadhvi4GujaratCM pic.twitter.com/wZ0l3Rj7yL
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 4, 2022
29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી. જેમાં લોકોએ પસંદગી ઈસુદાન ગઢવી પર ઉતારી છે.
આ પણ વાંચો : AAPએ 10 બેઠકો પર મુરતિયા ઉતાર્યા મેદાનમાં, કુલ 118 નામ જાહેર
મુખ્યમંત્રી પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય હતો.