પ્રથમ બેઠક સાથે વન નેશન વન ઈલેક્શનની કામગીરી શરુ


વન નેશન વન ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી. 2 સપ્ટેમ્બરના રોજ, સરકારે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એકસાથે ચૂંટણી યોજવાના મુદ્દા પર વિચારણા કરવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની આઠ સભ્યોની સમિતિને સૂચિત કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલ, સમિતિના સભ્યો અને રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ વગેરે હાજર રહ્યા હતા.
First meeting of the ‘One Nation, One Election’ committee under the chairmanship of former President Ram Nath Kovind, attended by Home Minister Amit Shah, Ghulam Nabi Azad and others, earlier today
(Source: Office of Ghulam Nabi Azad) pic.twitter.com/nnd6xi9eZg
— ANI (@ANI) September 23, 2023
આ સમિતિ ભારતના બંધારણ અને અન્ય વૈધાનિક જોગવાઈઓ હેઠળના વર્તમાન માળખાને ધ્યાનમાં રાખીને તેની ભલામણો આપશે. કમિટી એ પણ તપાસ કરશે કે શું બંધારણમાં સુધારા માટે રાજ્યો દ્વારા બહાલીની જરૂર પડશે. ભારતમાં ‘વન નેશન, વન ઇલેક્શન‘નો ઉદ્દેશ્ય લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે કરાવવાનો છે.
‘વન નેશન વન ચૂંટણી’ કમિટીની બેઠકમાં રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સમિતિએ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના મુદ્દા પર સૂચનો અને મંતવ્યો મેળવવા માટે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય રાજકીય પક્ષો, રાજ્ય સરકારોના રાજકીય પક્ષો અને અન્ય માન્ય રાજ્ય રાજકીય પક્ષોને આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે સમિતિ ભારતના કાયદા પંચને પણ આ મુદ્દે તેના સૂચનો અને મંતવ્યો આપવા આમંત્રણ આપશે.
આ પણ વાંચો: રાજ્યસભામાં વિશેષ સત્ર દરમિયાન પ્રેક્ષક ગેલરીમાં અયોગ્ય વર્તન સામે પગલાં લેવા માગ