સ્પોર્ટસ

T20 WC 2022: શું ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ખરાખરીનો જંગ, જુઓ આખું સમીકરણ

Text To Speech

T20 વર્લ્ડ કપ 2022ની બે મેચ રવિવારે યોજાઈ હતી. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડની ટીમો આમને-સામને હતી. આ મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. તે જ સમયે દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની હાર બાદ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સિવાય આજની બીજી મેચમાં ભારતીય ટીમ સામે ઝિમ્બાબ્વેનો પડકાર હતો. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રનના વિશાળ અંતરથી હરાવ્યું.

INDIAVSPAKISTAN- HUM DEKHENEG NEWS
ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો આ વર્ષે ત્રીજી વખત ટકરાશે.

 

ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે ?

આ રીતે સેમીફાઈનલમાં પહોંચનારી 4 ટીમો નક્કી થઈ ગઈ છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જો કે સોશિયલ મીડિયા પર હવે ચાહકો ફાઈનલમાં ભારત-પાકિસ્તાન મેચ વિશે વાત કરી રહ્યા છે. જો કે તે બિલકુલ શક્ય છે, પરંતુ આ માટે ભારત અને પાકિસ્તાને પોતપોતાની મેચ જીતવી પડશે. જો આમ થશે તો ચાહકોને ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો જોવા મળશે.

indian team
indian team

આ દિવસે સેમિફાઇનલ મેચ રમાશે

પ્રથમ સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 9 નવેમ્બરે રમાશે. આ મેચમાં વિજેતા ટીમ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. તે જ સમયે, T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચમાં, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ મેચ 10 નવેમ્બરે રમાશે.

આ પણ વાંચો : કાંગડામાં શાહનો હુંકાર, કહ્યું – ‘હિમાચલમાં જયરામ ઠાકુરની સરકાર બનતાની સાથે જ કોમન સિવિલ કોડ લાગુ કરાશે

Back to top button