ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસ વધ્યા, છેલ્લા ત્રણ માસમાં અમદાવાદમાં 322 કેસ નોંધાયા


- અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ
- રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી 15ના મોત થયા
- અમદાવાદમાં સૌથી વધુ અત્યારસુધી કેસ નોંધાયા
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસ ચિંતાજનક રીતે વધ્યા છે. જેમાં અમદાવાદમાં 322 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ માસમાં સ્વાઈન ફ્લૂના 630 કેસ નોંધાયા છે. જેમાં H1N1ના કેસ સાથે S1N1ના પણ કેસ નોંધાયા છે.
રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી 15ના મોત થયા
અત્યારસુધી S1N1ના 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી 15ના મોત થયા છે. રાજ્યમાં હાલ 135 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યારસુધી 322 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે સારવાર માટે સૂચનાઓ બહાર પાડી છે. જેમાં સરકારી હોસ્પિટલમાં સરવાર સંદર્ભે વિસી કરવામાં આવી છે. ગુજરાતમાં વર્ષ 2024 ની શરૂઆતથી અત્યારસુધી H1N1ના ચાર કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી 15 દર્દીઓના મોત છે. તો રાજ્યમાં હાલ 135 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં સૌથી વધુ અત્યારસુધી કેસ નોંધાયા છે. જે બતાવે છે કે, અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ વકર્યો છે.
અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ
હાલ સારવાર હેઠળ 135માંથી 59 અમદાવાદમાં છે. આ માટે આરોગ્ય વિભાગે સારવાર માટે સૂચનાઓ બહાર પાડી છે. સરકારી હોસ્પિટલમાં સરવાર સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી છે. અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શન વચ્ચે સ્વાઈન ફ્લૂની પણ દસ્તક છે. તાવ-શરદી મટે નહીં તો તે સ્વાઈન ફ્લૂ હોઈ શકે છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના હાલ ચાર કેસ છે. જેમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે.