મનોરંજન

સુષ્મિતા સેને ઇન્સ્ટાગ્રામ લાઇવમાં આવી પોતાની હાર્ટ સર્જરી અંગે આપી માહિતી, જાણો શું કહ્યું

Text To Speech

અભિનેત્રી-મૉડલ સુષ્મિતા સેનના ફેન્સ માટે સારા સમાચાર છે. હાલમાં જે તેણે કરેલી હાર્ટ સર્જરીમાંથી તે ઝડપથી સ્વસ્થ થઈ રહી છે. આ અંગે અભિનેત્રીએ એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં આ માહિતી આપી હતી. ફેન્સ સાથેની વાતચીતમાં તેણે એ પણ જણાવ્યું કે તે પોતાની જાતને સકારાત્મક રાખી રહી છે અને પરિવારના તમામ સભ્યો તેની સાથે છે. તેના ચાહકો, સમર્થકો અને શુભેચ્છકોનો દરેકનો આભાર માનતા સુષ્મિતા સેને તેની હેલ્થ અપડેટ પણ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

સુષ્મિતાનું ઇન્સ્ટાગ્રામ લાઇવ

મોટાભાગના લાઇવમાં, સુષ્મિતા સેને તેના પરિવારના સભ્યો, ડોકટરો અને તે બધા લોકોનો આભાર માન્યો હતો જે હંમેશા તેની સાથે ઊભા હોય છે. સુષ્મિતા સેને લાઇવ દરમિયાન એ વાત પર પણ પ્રકાશ પડ્યો હતો કે તેમને શું થયું હતું. સુષ્મિતા સેન કહ્યું કે, “હું ખૂબ જ ભયંકર હાર્ટ એટેકમાંથી બહાર આવી છું. તેમણે એમ પણ કહ્યું કે, મારી મુખ્ય આર્ટરીમાં 95 ટકા બ્લોક હતી. આ સિવાય સુષ્મિતા સેને નાણાવતી હોસ્પિટલના ડોકટરોનો આભાર માન્યો, જેમણે તેમનો જીવ બચાવ્યો છે.

આ પણ વાંચો : ફિટ રહેતી અભિનેત્રી સુષ્મિતા સેનને આવ્યો હાર્ટએટેકઃ સર્જરી બાદ સ્વસ્થ

સુષ્મિતા સેને કહ્યું કે હું હવે વસ્તુઓને અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકું છું. મારા મનમાં કોઈ પ્રકારનો ડર નથી. તેના બદલે, મને લાગે છે કે મારે મારી જાતને વચન આપવું જોઈએ અને વસ્તુઓની આગળ જોવું જોઈએ. સુષ્મિતા સેને તેના ચાહકો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. અભિનેત્રીને ફૂલો અને સંદેશ મોકલનારા તમામ લોકોનો આભાર માન્યો. સુષ્મિતા સેને કહ્યું કે મારું ઘર એવા તમામ લોકોથી ભરેલું છે જેમણે મને ફૂલો મોકલ્યા છે અને તે હવે ‘ગાર્ડન ઑફ ઈડન’ જેવું લાગે છે.

આ પણ વાંચો : ‘ઘાઘરા’ પહેરીને અક્ષય કુમારે કર્યો ડાન્સ, વીડિયો જોઈને લોકોએ કહ્યું- આ જ જોવાનું બાકી હતું

Back to top button