ટ્રેન્ડિંગમનોરંજન

સુશાંત સિંહ રાજપૂતના નામે વિકી જૈને લગાવ્યા પત્ની પર આરોપ

Text To Speech

મુંબઈ, 17 જાન્યુઆરી : બિગ બોસ 17 ની ફિનાલે નજીક છે અને ઘરમાં ઝઘડાનો અંત નથી આવી રહ્યો. અંકિતા લોખંડે અને વિકી જૈન કોઈ ને કોઈ મુદ્દા પર લડતા જોવા મળે છે. અંકિતાએ આ શોમાં ઘણી વખત સુશાંત સિંહ રાજપૂતનું નામ લીધું છે પરંતુ હવે આ પહેલીવાર છે જ્યારે વિકી જૈને સુશાંતના મૃત્યુ વિશે વાત કરી છે. વિકી અને અંકિતા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો જેમાં તેણે અંકિતાને કહ્યું કે તે તેના મૃત્યુ સમયે સુશાંતની સાથે હતો. શોમાં વિકી અને અંકિતા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં વિકી તેની માતાનો બચાવ કરી રહ્યો હતો. આ દરમિયાન વિકીએ અંકિતાને કહ્યું કે તે તેના મુશ્કેલ સમયમાં તેની સાથે ઊભો રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

વિકીએ સુશાંત વિશે કરી વાત

વિકીએ અંકિતાને કહ્યું, ‘સુશાંતના મૃત્યુ પછી બધું સંભાળવું ખૂબ મુશ્કેલ હતું. હું તારી સાથે હતો. મેં તને ક્યારેય સુશાંત વિશે વાત કરતા રોકીનથી. તુ ઇન્ટરવ્યુ આપવા માંગતી હતી અને મેં તને તેમાં મદદ કરી હતી. ઈન્ટરવ્યુમાં તારે શું કહેવું જોઈએ તેનાથી લઈને તારે સોશિયલ મીડિયા પર શું લખવું જોઈએ તે બધું. હું હંમેશા તારી સાથે ઉભો રહ્યો છું. મેં ક્યારેય કોઈને તારા પર પ્રશ્ન કરવા નથી દીધો પરંતુ અહીં હું જે કંઈ પણ કરું છું, તે દરેક વસ્તુ પર તુ સતત પ્રતિક્રિયા આપે છે.

સુશાંતની બહેને કર્યો સપોર્ટ

સુશાંત સિંહ રાજપૂતની બહેને પણ અંકિતાને સપોર્ટ કર્યો છે. સુશાંતનું નામ લેવા પર અંકિતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી હતી. સુશાંત અને અંકિતાના ફોટા શેર કરતા શ્વેતાએ લખ્યું – ‘અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ અંકી. તુ શ્રેષ્ઠ અને શુદ્ધ છે. અંકિતા લોખંડે અને સુશાંત ટીવી શો પવિત્ર રિશ્તાના સેટ પર મળ્યા હતા. આ શો દરમિયાન જ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ અંકિતા અને સુશાંતનું બ્રેકઅપ થઈ ગયું હતું. સુશાંતનું મૃત્યુ જૂન 2020માં થયું હતું. તે પછી અંકિતાએ ડિસેમ્બર 2021માં વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો : કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા-3માં મંજુલિકાની એન્ટ્રી કન્ફર્મ

Back to top button