ટ્રેન્ડિંગહેલ્થ

સુર્યનું રોહિણી નક્ષત્રમાં ગોચરઃ આ પાંચ રાશિઓની ચમકશે કરિયર

  • 25 મે, 2023ના રોજ રાતે 9.12 વાગ્યે સુર્ય રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે
  • સુર્યનું ચંદ્રમાના પ્રિય નક્ષત્ર રોહિણીમાં ગોચર તમામ રાશિઓને પ્રભાવિત કરશે
  • પાંચ રાશિના લોકોને કરિયર ક્ષેત્રે અને આર્થિક લાભ થશે

સુર્ય આજથી ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં ગોચર કરશે. આજે રાતે 9.12 વાગ્યે સુર્ય રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્રોમાં સુર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. આવા સંજોગોમાં સુર્યનું ગોચર પણ તમામ રાશિઓના જીવનને પ્રભાવિત કરશે. આવા સંજોગોમાં સુર્યનું ચંદ્રમાના પ્રિય નક્ષત્ર રોહિણીમાં ગોચર તમામ રાશિઓને પ્રભાવિત કરશે. સુર્યનું આ ગોચર લગભગ પાંચ રાશિના જાતકો માટે ભાગ્યશાળી બનશે.

મેષ રાશિ

સુર્ય આ રાશિના પંચમ ભાવનો સ્વામી છે. સુર્યના પ્રભાવથી મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારા સંબંધો પણ સારા રહેશે. આ દરમિયાન આ રાશિના જાતકો ખૂબ જ પ્રેરિત અને મહત્ત્વકાંક્ષી રહેવાના છે. આ સમયગાળામાં તમે શત્રુઓ પર વિજય મેળવી શકશો

સુર્યનું રોહિણી નક્ષત્રમાં ગોચરઃ આ પાંચ રાશિઓન ચમકશે કરિયર Hum dekhenge news

વૃષભ રાશિ

સુર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશથી વૃષભ રાશિના જાતકોનો દ્રષ્ટિકોણ સકારાત્મક રહેશે. નેતૃત્વ ક્ષમતા સારી રહેશે. ચહેરા પર એક અલગ તેજ જોવા મળશે. લોકો તમારી તરફ આકર્ષાશે. તમને મહેનતનું પુરુ ફળ મળશે. તમે મહેનત અને લગનથી સારુ નામ અને પૈસા કમાવામાં સફળ રહેશો.

કર્ક રાશિ

સુર્યના રોહિણી નક્ષત્રમાં જવાથી કર્ત રાશિના 11માં ભાવમાં સુર્ય રહેશે. આવા સંજોગોમાં કર્ક રાશિના જાતકો માટે ધન યોગ બનશે. તમારી કરિયર પણ સારી રહેશે. આવકના સ્ત્રોત વધશે. આવક માટે સંઘર્ષ નહી કરવા પડે. જો તમે કોઇ વ્યવસાયનો હિસ્સો બનો છો તો તમારે સંઘર્ષ નહી કરવો પડે.

સુર્યનું રોહિણી નક્ષત્રમાં ગોચરઃ આ પાંચ રાશિઓન ચમકશે કરિયર hum dekhenge news

સિંહ રાશિ

સુર્ય રોહિણી નક્ષત્રમાં જવાથી સિંહ રાશિના 10માં ભાવમાં સ્થિત હશે. આવા સંજોગોમાં જે લોકો સરકારી નોકરીના પ્રયાસમાં હશે તેને સફળતા મળશે. કરિયર સારી રહેશે. સુર્યના પ્રભાવથી સિંહ રાશિના જાતકોને એક મજબૂત કરિયરની પ્રાપ્તિ થશે. સાથે સાથે તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

ધન રાશિ

સુર્ય આ દરમિયાન ધન રાશિના જાતકોના છઠ્ઠા ભાવમાં વિરાજમાન થશે. છઠ્ઠા ભાવમાં હોવાના નાતે સુર્ય ધન રાશિના જાતકોની કરિયરમાં મજબૂતાઇ લાવશે. તમે મહેનત કરવાથી પાછા નહીં હટો. આ દરમિયાન તમે તમારા પ્રયાસોમાં સન્માન અને દ્રઢ સંકલ્પ હાસિલ કરવામાં સફળ રહેશો. કરિયરમાં પણ લાભ થશે.

આ પણ વાંચોઃ મહેમાનોને ભોજન કરાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો

Back to top button