ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટે મોબ લિન્ચિંગ સંબંધિત PIL પર કેન્દ્ર અને છ રાજ્યો પાસેથી માંગ્યો જવાબ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે (28 જૂલાઈ)એ સીપીઆઈની મહિલા શાખા દ્વારા દાખલ કરેલી એક જનહિત અરજી પર કેન્દ્ર અને છ રાજ્યો પાસે જવાબ માંગ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સર્વોચ્ચ અદાલતના 2018ના પૂનાવાલા નિર્ણયમાં રાજ્યોને ગૌરક્ષકો દ્વારા લિંચિંગ સહિત ધૃણા અપરાધો (Hate Crime) વિરૂદ્ધ નિર્ણાયક રૂપથી કાર્યવાહી કરવાના નિર્દેશ આપવા છતાં મુસ્લિમો વિરૂદ્ધ લિંચિંગ અને ટોળા થકી હિંસાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કેન્દ્ર અને મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ અને હરિયાણાના પોલીસ મહાનિર્દેશકો (ડીજીપી)ને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો છે.

આવી જ એક અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ ફગાવી દેવામાં આવી હતી. જ્યારે અન્ય એક અરજદારને ગૌ રક્ષકો અને મોબ-લિંચિંગ સામે યોગ્ય રાહત માટે સંબંધિત હાઈકોર્ટનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું હતું.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, પીઆઈએલમાં છેલ્લા બે મહિનામાં નોંધાયેલા છ કેસમાં પીડિતોને વળતરની પણ માંગ કરવામાં આવી છે. આ અરજીમાં 2018ની સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકા હોવા છતાં ખાસ કરીને ગૌરક્ષકો દ્વારા મુસ્લિમો સામે ટોળાની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન બેન્ચે નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે, “અમે નોટિસ જારી કરીશું”.

સિબ્બલે કોર્ટને કહ્યું કે જો કે આ પ્રકારની રાહત હાઈકોર્ટ પાસેથી માંગવામાં આવી શકે છે, પરંતુ આ અરજીમાં છ અલગ-અલગ રાજ્યોમાંથી મોબ લિંચિંગ અને ગૌ રક્ષકો દ્વારા હિંસા સંબંધિત છ કેસ રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો- IND VS PAK મેચની તારીખને લઈને BCCI સેક્રેટરી જય શાહનું મોટું નિવેદન

ગૌરક્ષકો દ્વારા પરિવારના મુખ્ય પુરૂષની હત્યા કર્યા પછી મુસ્લિમ મહિલાઓનો મુદ્દો ઉઠાવતી અરજી પર દલીલ કરતા સિબ્બલે કહ્યું, “જો હું હાઈકોર્ટમાં જઈશ, તો મને અંતે શું મળશે?” મને 10 વર્ષ પછી 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ત્યારે અમે ક્યાં જઇએ?

પિટિશનમાં પીડિતોને વળતર તરીકે ‘લઘુત્તમ સમાન રકમ’ ચૂકવવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે, જેનો એક ભાગ પીડિત પરિવારોને તેમની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરવા માટે અગાઉથી ચૂકવી દેવામાં આવી જોઇએ.

ટોળાની હિંસાના બનાવોમાં આઘાતજનક વધારો નોંધીને અરજીમાં આવા છ કેસોનું સંકલન કરવામાં આવ્યું હતું, જેમાંથી બે મહારાષ્ટ્રમાંથી અનુક્રમે 8 અને 24 જૂને ગૌમાંસની દાણચોરીના આરોપમાં નોંધાયા હતા. ત્રણ લોકો પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી બે મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અરજીમાં બિહારમાં ગૌમાંસ લઈ જવાની શંકામાં 55 વર્ષીય મુસ્લિમ ટ્રક ડ્રાઈવરની ક્રૂર હત્યા અને ઈદ-ઉલ-અઝહાની પૂર્વ સંધ્યાએ બજરંગ દળ દ્વારા ખંડવા (મધ્યપ્રદેશ)માં બે મુસ્લિમ પુરુષોને માર મારવાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. કથિત રીતે ગૌમાંસ વહન કરવા બદલ કાર્યકરો દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો.

ભુવનેશ્વર (ઓડિશા) અને કોટા (રાજસ્થાન)માં ટોળાની હિંસા સંબંધિત બે અન્ય ઉદાહરણો પણ અરજીમાં રજૂ કરવામાં આવ્યા છે. અરજીમાં 17 જૂનના રોજ સમાન ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ઓડિશામાં બે મુસ્લિમ પુરુષો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. દોરડાનો વડે બાંધીને અપમાનિત કરવામાં આવ્યા હતા અને કચરાના ઢગલામાંથી ચાલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-જ્ઞાનવાપી મસ્જિદ કેસના નિર્ણય પહેલા હિન્દુ પક્ષના વકીલનું મોટું નિવેદન, ASI સર્વેમાં કહ્યું….

મે મહિનામાં હિંસક ટોળાએ રાજસ્થાનમાં હજ યાત્રીઓને લઈ જતી બસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

અરજીમાં જણાવાયું છે કે 2018નો તહસીન પૂનાવાલા ચુકાદો તમામ વ્યક્તિઓના મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાઓનું રક્ષણ કરવા અને બિનસાંપ્રદાયિક, બહુમતીવાદી અને બહુસાંસ્કૃતિક સામાજિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની રાજ્યની સકારાત્મક ફરજને માન્યતા આપે છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “રાજ્ય વહીવટીતંત્રના સત્તાવાળાઓ આ જોખમનો સામનો કરવા માટે કોઈ નિષ્ઠાવાન પ્રયાસ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.”

અરજીમાં જણાવાયું છે કે આવી ઘટનાઓ જાહેર કાર્યક્રમો, સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલો અને ફિલ્મોમાં દ્વેષપૂર્ણ ભાષણો દ્વારા ફેલાયેલ “લઘુમતી સમુદાયોના બહિષ્કારની સામાન્ય કથા”નું પરિણામ છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, “પરિણામ એ છે કે સામાન્ય સાંપ્રદાયિક તિરસ્કાર અને વિભાજનનો ઝેર વસ્તીના મોટા વર્ગ પર હાવી થઇ ગયો છે. આ નફરત લિંચિંગ અને ટોળાની હિંસાના ગુનાઓ માટે પૂર્વશરત છે.

2018ના પૂનાવાલાના ચુકાદામાં જાગ્રત જૂથો દ્વારા મોબ લિંચિંગની હિંસક ઘટનાઓની નોંધ લેવામાં આવી હતી અને તેને અસ્વીકાર્ય માનવામાં આવ્યું હતું.

જાહેર હિતની અરજી પર આપવામાં આવેલા ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે, ‘સરકારની પવિત્ર ફરજ છે કે તે તેના નાગરિકોને બેફામ તત્વો અને સંગઠિત લિંચિંગના અપરાધીઓથી બચાવવા અને આવી ઘટનાઓને રોકવા માટે સાચી પ્રતિબદ્ધતા બતાવે, જે તેના કાર્યો અને યોજનાઓ પર પ્રતિબિંબિત થવી જોઈએ.

આ પણ વાંચો- મિશન 2024 માટે NDA સાંસદોની આજે પ્રથમ બેઠક, PM મોદી આપશે વિજયનો મંત્ર

નોંધનીય છે કે જુલાઈ 2018માં સર્વોચ્ચ અદાલતે સરકારોને લિંચિંગ સાથે વ્યવહાર કરવા માટે કાયદો ઘડવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે ‘મોબિઝમ ચાલી શકે નહીં’. તત્કાલિન મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે ભય અને અરાજકતાના વાતાવરણનો સામનો કરવાની જવાબદારી સરકારની છે અને નાગરિકો પોતાનામાં કાયદો બની શકતા નથી.

ચુકાદામાં રાજ્યોને દ્વેષપૂર્ણ ભાષણ, ટોળાની હિંસા અને લિંચિંગની સંભવિત ઘટનાઓ પર ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે જિલ્લાઓમાં વિશેષ ટાસ્ક ફોર્સ (STFs)ની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ચુકાદામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ફરજ છે કે તેઓ ભડકાઉ સંદેશાઓ, વીડિયો વગેરેના પ્રસારને રોકવા માટે પગલાં ભરે. ‘કોઈપણ પ્રકારની ટોળાની હિંસા અને લિંચિંગને ઉશ્કેરી શકે તેના ઉપર કડક પગલા ભરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો’.

કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે પોલીસ એફઆઈઆર નોંધવા, આરોપીઓની ધરપકડ કરવા, અસરકારક તપાસ કરવા અને ટોળાની હિંસા અને લિંચિંગની ફરિયાદો પર ચાર્જશીટ દાખલ કરવા માટે બંધાયેલી છે.

કોર્ટે આ આદેશ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી અને તહસીન પૂનાવાલા જેવા લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી દરમિયાન આપ્યો હતો.

આ પણ વાંચો-અત્યાર સુધી કોઈ મહિલા સૈન્યના વિશેષ દળોમાં જોડાવા માટેની તાલીમ પાસ કરી શકી નથી: સરકાર

Back to top button