બિહાર: નવરાત્રીના પહેલા દિવસે મંદિરેથી પરત ફરી રહેલા લોકો પર પથ્થરમારો, પીઠ પાછળ કરી રહ્યા છે ઘા


દરભંગા, 31 માર્ચ 2025: બિહારના દરભંગા જિલ્લાના કેવતગામા પછિયારીમાં કળશ સ્થાપિત કર્યા પછી દુર્ગા મંદિરથી પાછા ફરતા ભક્તો પર એક ચોક્કસ સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પથ્થરમારા બાદ શોભાયાત્રામાં સામેલ લોકોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક સક્રિય થઈ ગઈ અને મોટી સંખ્યામાં ફોર્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી અને ખાતરી આપી કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શોભાયાત્રા મંદિરથી પરત ફરી રહી હતી ત્યારે કેટલાક લોકોએ અચાનક છત પરથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ અણધાર્યા હુમલાથી ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી, ત્યારબાદ કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન સહિત નજીકના ઘણા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી.
Muslims pelted stones on Hindus as they carried out Kalash Yatra from Durga temple in Darbhanga.
Now waiting for Leftists to blame Hindus for “existing” & passing through “Muslim Areas”. pic.twitter.com/OL5JUS6Qsn
— BALA (@erbmjha) March 31, 2025
દરભંગાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) જગન્નાથ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ગામમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. તેમણે કહ્યું, “પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” અધિક પોલીસ અધિક્ષક (ASP) એ પણ પુષ્ટિ આપી કે વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ ગઈ છે અને કોઈ મોટું નુકસાન થયું નથી.
લોકોએ શું કહ્યું?
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટના નવરાત્રીના પવિત્ર તહેવાર પર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ હતો. વધુ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન બને તે માટે પોલીસે વિસ્તારમાં વધારાના દળો તૈનાત કર્યા છે. તપાસ દરમિયાન એ જાણવામાં આવી રહ્યું છે કે પથ્થરમારા પાછળનો હેતુ શું હતો અને તેમાં કેટલા લોકો સામેલ હતા?
આ પણ વાંચો: નવો નિયમ: 3 મહિનાની અંદર ટ્રાફિક ચલણ ભરી દેજો, નહીંતર ડ્રાઈવિંગ લાઈસન્સ રદ, સરકાર કરી રહી છે તૈયારી