ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજાર સતત ત્રીજા દિવસે લીલા નિશાનમાં બંધ! સેન્સેક્સમાં 147 પોઈન્ટનો ઉછાળો

Text To Speech

નવી દિલ્હી, 19 માર્ચ: 2025: ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા. બુધવારે, BSE સેન્સેક્સ 147.98પોઈન્ટ (0.20) વધીને ૭૫,૪૪૯.૦૫ પર બંધ થયો. જ્યારે NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 73.30 પોઈન્ટ (0.32%) વધીને 22,907.60 પોઈન્ટ પર બંધ થયો. ભારતીય શેરબજારમાં તેજી પાછળ ઘણા મુખ્ય કારણો છે. આનું પહેલું કારણ મેક્રોઇકોનોમિક સૂચકાંકોમાં સુધારો છે. ભારતના આર્થિક ડેટામાં સુધારો અને મૂલ્યાંકન સુવિધાએ બજારને ટેકો આપ્યો.

આજે બજારે વધારા સાથે લીલા નિશાન પર કારોબાર શરૂ કર્યો હતો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 17 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને બાકીની 13 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૧ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૯ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.

ITC ના શેરમાં 1.51 ટકા, TCS ના શેરમાં 1.34 ટકા, Infosys ના શેરમાં 1.29 ટકા, Sun Pharma ના શેરમાં 1.07 ટકા, Maruti Suzuki ના શેરમાં 0.98 ટકા, Nestle India ના શેરમાં 0.72 ટકા, HCL Tech ના શેરમાં 0.69 ટકા, Kotak Mahindra Bank ના શેરમાં 0.67 ટકા, Mahindra & Mahindra ના શેરમાં 0.33 ટકા, Bajaj Finserv ના શેરમાં 0.27 ટકા, Titan ના શેરમાં 0.19 ટકા અને Hundistan Unilever ના શેરમાં 0.12 ટકાનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો….UPI દ્વારા પેમેન્ટ સ્વીકારતા થશે કમાણી, સરકારે એક મોટો નિર્ણય લીધો; આ રીતે લાભ મળશે

Back to top button